SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates મોક્ષપાહુડ) ૨૪૭ થઈને નિરંતર તે પરમાત્માને અનુભવગોચર કરીને નિર્વાણ (મોક્ષ) ને પ્રાપ્ત થાય છે. નિર્વાણ કેવું છે? અવ્યાબાધ છે-જ્યાં કોઈ પ્રકારની બાધા નથી. ‘અનંત’ –જેનો નાશ નથી. અનુપમ ” છે-જેને કોઈની ઉપમા લાગુ પડતી નથી. ભાવાર્થ:- આચાર્ય કહે છે કે આવા પરમાત્માને આગળ કહીશું કે જેમનું ધ્યાન કરીને મુનિ નિરંતર અનુભવ કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરી નિર્વાણને પ્રાપ્ત કરે છે. અહીં આ તાત્પર્ય છે કે પરમાત્માના ધ્યાનથી મોક્ષ પમાય છે. ૩ હવે પરમાત્મા કેવા છે તે બતાવવા માટે આત્મા ત્રણ પ્રકારના વર્ણવે છે - तिपयारो सो अप्पा परमंतर बाहिरो हु देहीणं। तत्थ परो झाइज्जइ अंतो वाएण चइवि बहिरप्पा।।४।। त्रिप्रकार: स आत्मा परमन्त: बहि: स्फटं देहिनाम। तत्र परं ध्यायते अन्तरुपायेन त्यज बहिरात्मानम्।।४।। તે આતમા છે પરમ-અંતર-બહિર ત્રણધા દેહીમાં; 'અંતર-ઉપાયે પરમને ધ્યાઓ, તજો બહિરાતમાં. ૪ અર્થ:- તે આત્મા પ્રાણીઓને ત્રણ પ્રકારનો હોય છે. (૧) અંતરાત્મા, (૨) બહિરાત્મા અને (૩) પરમાત્મા. અંતર આત્માના ઉપાય દ્વારા, બહિરાભપણું છોડીને પરમાત્માનું ધ્યાન કરવું જોઈએ. ભાવાર્થ:- બહિરાત્મપણાને છોડી દઈ અંતરાત્મારૂપ થઈને પરમાત્માનું ધ્યાન કરવું જોઈએ, તેનાથી મોક્ષ પમાય છે. ૪ હવે ત્રણ પ્રકારના આત્માનું સ્વરૂપ બતાવે છે: अक्खाणि बाहिरप्पा अन्तरप्पा हु अप्पसंकप्पो। कम्मकलंकविमुक्को परमप्पा भण्णए देवो।।५।। अक्षाणि बहिरात्मा अन्तरात्मा स्फुटं आत्मसंकल्पः। कर्मकलंक विमुक्त: परमात्मा भण्यते देवः।।५।। ૧ પરમ-અંતર-બહિર ત્રણધા = પરમાત્મા, અંતરાત્મા અને બહિરાત્મા-એમ ત્રણ પ્રકારે. ૨ અંતરઉપાયે = અંતરાત્મારૂપ સાધનથી; અંતરાત્મારૂપ જે પરિણામ તે પરિણામરૂપ સાધનથી. ૩ પરમને = પરમાત્માને. Please inform us of any errors on [email protected]
SR No.008210
Book TitleAshtapahuda
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy