SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯ (અષ્ટપાહુડ કે લોકરંજનથી કંઈ પરમાર્થ સિદ્ધ થતો નથી. માટે ઇન્દ્રિયો અને મનને વશમાં રાખવા માટે બાહ્ય યત્ન કરે તો શ્રેષ્ઠ છે. ઇન્દ્રિયો અને મનને વશમાં રાખ્યા વિના કેવળ લોકરંજન માટે વેષ ધારણ કરવાથી કંઈ પરમાર્થ સિદ્ધ થતો નથી. ૯) હવે ફરી ઉપદેશ કહે છે: णवणोकसायवग्गं मिच्छत्तं चयसु भावसुद्धाए। चेइयपवयणगुरुणं करेहि भत्तिं जिणाणाए।। ९१ ।। नवनोकषायवर्ग मिथ्यात्वं त्यज भावशुद्ध्या। चैत्यप्रवचनगुरुणां कुरु भक्तिं जिनाज्ञया।। ९१ ।। મિથ્યાત્વ ને નવ નોકષાય તું છોડ ભાવવિશુદ્ધિથી; કર ભક્તિ જિન-આજ્ઞાનુસાર તું ચૈત્ય-પ્રવચન-ગુરુ તણી. ૯૧ અર્થ:- હે મુને ! તું હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ એ નવ નોકષાયનો સમુહુ તથા મિથ્યાત્વ-એને ભાવશુદ્ધિ દ્વારા છોડ અને જિનઆજ્ઞાથી ચૈત્ય, પ્રવચન અને ગુરુ એમની ભક્તિ કર. ૯૧ હવે ફરી કહે છે: तित्थयर भासियत्थं गणहरदेवेहिं गंथियं सम्म। भावहि अणुदिणु अतुलं विसुद्ध भावेण सुयणाणं ।। ९२।। तीर्थंकरभाषितार्थं गणधरदेवैः ग्रथितं सम्यक् । भावय अनुदिनं अतुलं विशुद्धभावेन श्रुतज्ञानम्।।९२।। “તીર્થેશભાષિત-અર્થમય, ગણધર સુવિરચિત જેહ છે, પ્રતિદિન તું ભાવ વિશુદ્ધભાવે તે અતુલ શ્રુતજ્ઞાનને. ૯૨ અર્થ - હે મુને ! તું જે શ્રુતજ્ઞાનને તીર્થકર ભગવાનને કહ્યું છે અને ગણધરદેવોએ ગૂંથી અર્થાત્ શાસ્ત્રરૂપ રચના કરી છે તેને સમ્યક રીતે ભાવ શુદ્ધ કરી નિરંતર ભાવના કર. કેવું છે એ શ્રુતજ્ઞાન? અતુલ છે-એની બરાબરી કરી શકે એવું અન્ય મતનું કહેલું શ્રુતજ્ઞાન નથી. ૯૨ આવું કરવાથી શું થાય છે? તે કહે છે: ૧ તીર્થશભાષિત = તીર્થકર દેવે કહેલ. Please inform us of any errors on [email protected]
SR No.008210
Book TitleAshtapahuda
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy