SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ભાવપાહુડ) ૧૮૯ હવે કહે છે કે ભાવ વગરનાને બાહ્ય પરિગ્રહના ત્યાગાદિક સર્વે નિપ્રયોજન છે : बाहिरसंगच्चाओ गिरिसरिदरिकंदराइ आवासो। सयलो णाणज्झयणो णिरत्थओ भावरहियाणं ।। ८९ ।। बाह्यसंगत्यागः गिरिसरिद्दरीकंदरादौ आवासः। सकलं ज्ञानाध्ययनं निरर्थकं भावरहितानाम् ।। ८९ ।। રે! બાહ્યપરિગ્રહત્યાગ, પર્વત-કંદરાદિનિવાસને જ્ઞાનાધ્યયન સઘળું નિરર્થક ભાવવિરહિત શ્રમણને. ૮૯ અર્થ:- જે પુરુષ ભાવરહિત છે, શુદ્ધ આત્માની ભાવનાથી રહિત છે અને બાહ્ય આચરણથી સંતુષ્ટ છે, તેનો બાહ્ય પરિગ્રહનો ત્યાગ નિરર્થક છે. ગિરિ (પર્વત), દરી (પર્વતની ગુફા), સરિત (નદીની પાસે), કંદર (પર્વતના પાણીથી ચીરાયેલું સ્થાન) ઇત્યાદિ સ્થાનોમાં રહેવું નિરર્થક છે. ધ્યાન કરવું, આસન દ્વારા મનને રોકવું, અધ્યયન (વાંચન) એ બધું નિરર્થક ભાવાર્થ- બાહ્ય ક્રિયાનું ફળ આત્મજ્ઞાન સહિત હોય તો સફળ છે, અન્યથા બધું નિરર્થક છે. પુણ્યનું ફળ હોય તોપણ સંસારનું જ કારણ છે, મોક્ષફળ નથી. ૮૯ હવે ઉપદેશ કરે છે કે ભાવશુદ્ધિ માટે ઇન્દ્રિયાદિને વશ કરો, ભાવશુદ્ધિ વિના બાહ્યવેશનો આડંબર ન કરો : भंजसु इन्दियसेणं भंजसु मणमक्कडं पयत्तेण। मा जणरंजणकरणं बाहिरवयवेस तं कुणसु।। ९०।। भंग्धि इन्द्रियसेनां भंग्धि मनोमर्कटं प्रयत्नेन। मा जनरंजनकरणं बहिव्रतवेष त्वंकार्षीः।। ९० ।। તું ઇન્દ્રિસેના તોડ મનમર્કટ તું વશ કર યત્નથી, નહિ કર તું જનરંજનકરણ બહિરંગ-વ્રતવેશી બની. ૯૦ અર્થ - હે મુને ! તું ઇન્દ્રિયોની સેનાનો નાશ કર-વિષયોમાં ન રમ, મનરૂપી મર્કટને પ્રયત્નપૂર્વક ખૂબ ઉધમ કરીને વશ કર-વશીભૂત કર પણ બાહ્યવ્રતનો વેષ લોકોને ખુશ કરવા માટે ધારણ ન કર. ભાવાર્થ:- મુનિનો બાહ્ય વેષ લોકોને રંજન કરવાવાળો છે. તેથી આ ઉપદેશ છે ૧ મનમર્કટ = મનરૂપી માંકડું; મનરૂપી વાંદરું. Please inform us of any errors on [email protected]
SR No.008210
Book TitleAshtapahuda
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy