SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ભાવપાહુડ) ૧૬૫ ત્યારબાદ બાર વર્ષ વીતેલા જાણીને દ્વીપાયન દ્વારિકા આવી નગર બહાર આતાપન યોગ ધારણ કરી સ્થિત થયા. ભગવાનના વચનની પ્રતીતિ ન રાખી. પાછળથી શં ક્રિડા કરતાં-કરતાં તરસ્યા થયાં તેથી કુંડોમાં પાણી જાણીને પી ગયા. તે મધના નિમિત્તથી કુમારો ઉન્મત્ત બની ગયા. ત્યાં દ્વીપાયન મુનિને ઊભેલા જોઈ કહેવા લાગ્યા-“આ દ્વારિકાને ભસ્મ કરવાવાળો હીપાયન છે” આ પ્રકારે કહીને તેને પત્થરાદિથી મારવા લાગ્યા. ત્યારે દ્વિીપાયન જમીન ઉપર પડી ગયા. તેને ક્રોધ ઉત્પન્ન થયો. તેના નિમિત્તથી દ્વારિકા સળગી જઈને ભસ્મ બની ગઈ. આ પ્રકારે દીપાયન ભાવશુદ્ધિ વિના અનંત સંસારી થયો. ૫) હવે ભાવશુદ્ધિ સહિત જે મુનિ થયા તેમણે સિદ્ધિ મેળવી તેનું ઉદાહરણ આપે છે: भावसमणो य धीरो जुवईजणवेढिओ विसुध्धमई। णामेण सिवकुमारो परीत्तसंसारिओ जाहो।। ५१ ।। भावश्रमणश्च धीर: युवतिजनवेष्टितः विशुद्धमतिः। नामना शिवकुमारः परित्यक्तसांसारिक: जातः।। ५१।। બહુયુવતિજનવેષ્ટિતર છતાં પણ ધીર શુદ્ધમતિ અહા ! એ ભાવસાધુ શિવકુમાર ‘પરીતસંસારી થયા. ૫૧ અર્થ - શિવકુમાર નામના ભાવશ્રમણ સ્ત્રીજનોથી વીંટળાયેલા હોવા છતાં પણ વિશુદ્ધ બુદ્ધિના ધારક, ધૈર્યવાન સંસારને ત્યાગવાવાળા થયા. ભાવાર્થ- શિવકુમારે ભાવની શુદ્ધતાથી બ્રહ્મસ્વર્ગમાં વિદ્યુમ્માલી દેવ થઈને ત્યાંથી ચ્યવી જંબૂસ્વામી કેવળી થઈ મોક્ષ પ્રાપ્ત ર્યો. તેમની કથા આ પ્રકારે છે: આ જમ્બુદ્વીપના પૂર્વ વિદેહમાં પુષ્કલાવતી દેશના વીતશોકપુરમાં મહાપદ્મ રાજાની વનમાલા રાણીને શિવકુમાર નામે પુત્ર જન્મ્યો. તે એક દિવસ મિત્રો સહિત વનક્રીડા કરીને નગરમાં આવી રહ્યો હતો, ત્યારે તેણે માર્ગમાં લોકોને પૂજાની સામગ્રી લઈને જતાં જોયાં. તેણે મિત્રને પૂછયું. : આ કયાં જઈ રહ્યા છે?' મિત્રે કહ્યું-એ, સાગરદત્ત નામના ઋદ્ધિધારી મુનિને પૂજવા માટે વનમાં જઈ રહ્યા છે. ત્યારે શિવકુમારે મુનિની પાસે જઈને પોતાનો પૂર્વભવ સાંભળી સંસારથી વૈરાગ્ય પામી દીક્ષા લઈ લીધી. અને દઢધર નામના શ્રાવકને ઘેર પ્રાસુક આહાર લીધો. ત્યાર બાદ સ્ત્રીઓની નજીક અસિધારાવ્રત એવું પરમ બ્રહ્મચર્ય પાળતાં બાર વર્ષ સુધી તપ કરી અંતમાં સન્યાસમરણ કરીને બ્રહ્મકલ્પમાં વિધુમ્માલી દેવ થયા. ત્યાંથી ચ્યવીને જબૂકુમાર થયા. ને દીક્ષા લઈ કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયા. આ પ્રકારે શિવકુમાર ભાવમુનિએ મોક્ષ પ્રાપ્ત ર્યો. તેની વિસ્તાર સહિત કથા જબૂચરિત્રમાં છે, ત્યાંથી જાણવી. આ પ્રકારે ભાવલિંગ પ્રધાન છે. ૫૧ ૧ વેષ્ટિત = વિંટળાયેલા. ૨ પરીતસંસારી = પરિમિત સંસારવાળા: અલ્પસંસારી. Please inform us of any errors on [email protected]
SR No.008210
Book TitleAshtapahuda
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy