SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૪ (અષ્ટપાહુડ હો. ત્યાં અભનંદન આદિ પાંચસો મુનિ આવ્યાં તેમાં એક ખંડક નામે મુનિ હતા. તેમણે બાલક નામના મંત્રીને વાદવિવાદમાં જીતી લીધો. ત્યારે મંત્રીએ ક્રોધ કરીને એક ભાંડને મુનિનો વેષ કરાવીને રાજાની રાણી સુવ્રતાની સાથે ક્રિીડા કરતો રાજાને બતાવ્યો અને કહ્યું કે જુઓ! રાજાને એવી ભક્તિ છે જે પોતાની સ્ત્રી પણ દિગમ્બરને ક્રિીડા કરવા માટે આપી દે છે. ત્યારે રાજાએ દિગમ્બરો પર ક્રોધ કરીને પાંચસો મુનિઓને ઘાણીમાં પીલાવ્યા. તે મુનિઓ ઉપસર્ગ સહીને પરમ સમાધિથી મુક્તિ પામ્યા. ફરી તે નગરમાં બાહુ નામના એક મુનિ આવ્યા. તેમને લોકોએ મના કરી કે અહીંનો રાજા દુર છે માટે આપ નગરમાં પ્રવેશ ન કરો. પહેલાં પાચસો મુનિઓને ઘાણીમાં પીલાવી દીધા છે, તે આપના પણ એવા જ હાલ કરશે. ત્યારે લોકોના વચનોથી બાહુમુનિને ક્રોધ ઉત્પન્ન થયો. અશુભ તૈજસ સમુદ્રઘાતથી રાજાને મંત્રી સહિત અને સમસ્ત નગરને ભસ્મ કરી નાખ્યું. રાજા અને મંત્રી સાતમાં નરકમાં રૌરવ નામના બિલમાં પડ્યા. ત્યાં બાહુમુનિ પણ મરીને રૌરવ બિલમાં પડ્યો. આ રીતે દ્રવ્યલિંગમાં ભાવના દોષથી ઉપદ્રવ થાય છે. માટે ભાવલિંગનો પ્રધાન ઉપદેશ છે. ૪૯ હવે આ જ અર્થ ઉપર દીપાયન મુનિનું ઉદાહરણ કહે છે: अवरो वि दव्वसवणो दंसणवरणाणचरणपठभट्ठो। दीवावणो त्ति णामो अणंतसंसारिओ जाओ।। ५०।। अपरः अपि द्रव्यश्रमण: दर्शनवरज्ञान चरणप्रभ्रष्टः। दीपायन इति नाम अनन्तसांसारिकः जातः।। ५०।। વળી એ રીતે બીજા દરવસાધુ કીપાયન નામના વરજ્ઞાનદર્શનચરણભ્રષ્ટ, અનંત સંસારી થયા. ૫૦ અર્થ:- આચાર્ય કહે છે કે જેમ આગળ બાહુમુનિ કહ્યા તેવા જ બીજા દ્વીપાયન નામના દ્રવ્યશ્રમણ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રથી ભ્રષ્ટ થઈને અનંત સંસારી થયો. ભાવાર્થ - પૂર્વની જેમ આની કથા સંક્ષેપથી આ પ્રકારે છે:- નવમા બલભદ્ર શ્રી નેમીનાથ તીર્થકરને પૂછયું કે, હે સ્વામિન્! આ દ્વારિકાપુરી સમુદ્રમાં છે તેની સ્થિતિ કેટલા સમય સુધી છે? ત્યારે ભગવાને કહ્યું કે રોહિણીના ભાઈને (તારા મામા ) દ્વીપાયન બાર વર્ષ પછી દારૂના નિમિત્તથી ક્રોધ કરીને આ દ્વારકા પુરીને સળગાવશે. ભગવાનના આવા વચન સાંભળી નિશ્ચય કરી દીપાયન દીક્ષા લઈને પૂર્વ દેશમાં ચાલ્યા ગયા. બાર વર્ષ વ્યતીત કરવા માટે તપ કરવું શરૂ કર્યું, અને બલભદ્ર નારાયણે દ્વારિકામાં દારૂબંધીની જાહેરાત કરાવી દી દારૂના વાસણો તથા તેની સામગ્રી દારૂ બનાવવાવાળાઓએ બહાર પર્વતોમાં ફેંકી દીધી. ત્યારે વાસણોની મદિરા તથા મધની સામગ્રી પાણીના ખાબોચિયામાં ફેલાઈ ગઈ. Please inform us of any errors on [email protected]
SR No.008210
Book TitleAshtapahuda
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy