SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates અષ્ટપાહુડ) xvIII ત્યાં સીમંધરભગવાનના મુખથી સહજ જ સદ્ધર્મવૃદ્ધિરરંતુ પ્રગટ થયું. સમોવસરણમાં હાજર રહેલા શ્રોતાઓને બહુ જ આશ્ચર્ય થયું. નમસ્કાર કરવાવાળા સિવાય બીજાને આશિર્વાદ અપાઈ રહ્યા છે? આ પ્રશ્ન બધાના હૃદયમાં સહુજ ઉપસ્થિત થઈ રહ્યો હતો. ભગવાનની વાણીમાં સમાધાન આવ્યું કે ભરતક્ષેત્રના આચાર્ય કુંદકુંદને આ આશિર્વાદ આપવામાં આવેલ છે. ત્યાં કુંદકુંદના પૂર્વભવના બે મિત્ર ચારણઋદ્ધિ ધારી મુનિરાજ હાજર હતા. તેઓ આચાર્ય કુંદકુંદને ભગવાન પાસે લઈ ગયા. રસ્તામાં કુંદકુંદનું મોરપિચ્છ પડી ગયું. ત્યારે તેમણે ગુદ્ધપૃચ્છીકાથી કામ ચલાવ્યું. તેઓ ત્યાં સાત દિવસ રહ્યા. ભગવાનના દર્શન અને દિવ્ય ધ્વનિના શ્રવણથી તેમની શંકાઓનું સમાધાન થઈ ગયું. કહેવાય છે કે પાછા ફરતી વખતે તેઓ કોઈ ગ્રંથ પણ સાથે લાવેલ હતા પણ તે માર્ગમાં જ પડી ગયેલ. તિર્થોની યાત્રા કરતાં કરતાં તેઓ ભરતક્ષેત્રમાં આવી ગયા. તેમનો ધર્મોપદેશ સાંભળીને સાતસો સ્ત્રી-પુરુષોએ દિક્ષા ગ્રહણ કરી. કેટલોક સમય વિત્યાબાદ ગિરનાર પહાડ ઉપર શ્વેતાંબરોની સાથે તેમને વિવાદ થયો, ત્યારે બાહ્મીદેવીએ સ્વીકાર કર્યો કે દિગંબર નિગ્રંથ માર્ગ જ સાચો છે. અંતમાં પોતાના શિષ્ય ઉમાસ્વામીને આચાર્ય પદવી પ્રદાન કરીને તેઓ સ્વર્ગવાસી થઈ ગયા.'' એક કથા ““પૂણ્યાશ્રવ કથાકોષ'' માં પણ આવે છે એનો સાર પણ આ પ્રકારે છે “ભરતખંડના દક્ષિણદેશમાં પિડથનાડૂ' નામનો પ્રદેશ છે. આ પ્રદેશમાં કુરુમરઈ નામના ગામમાં કરમંડુ નામના શ્રીમંત વૈશ્ય રહેતા હતા. તેની પત્નીનું નામ શ્રીમતિ હતું. તેમને ત્યાં એક ભરવાડ રહેતો હતો. ને તેમના પશુઓને ચરાવવા લઈ જવાનું કામ કરતો હતો. તે ભરવાડનું નામ મતિવરણ હતું. એક દિવસ જ્યારે તે પોતાના પશુઓને એક જંગલમાં લઈ જઈ રહ્યો હતો ત્યારે તેણે ઘણાં જ આશ્ચર્યથી જોયું કે આખું જંગલ દાવાગ્નિથી બળીને ભસ્મ થઈ ગયું છે પરંતુ વચ્ચે કેટલાક વૃક્ષ લીલાછમ છે. તેને તેનું કારણ જાણવાની મોટી ઉત્સુકતા થઈ. તે એ સ્થાન પર ગયો તો તેને જાણવા મળ્યું કે આ કોઈ મુનિરાજનું નિવાસ સ્થાન છે અને ત્યાં એક પેટીમાં આગમગ્રંથ રાખેલા છે. તે ભણેલ ગણેલ ન હતો. તેણે વિચાર્યું કે આ આગમગ્રંથને કારણે જ આ સ્થાન આગથી બચી ગયું છે. આથી તે ગ્રંથને ખૂબ જ આદરથી ઘેર લઈ આવ્યો. તેણે આ ગ્રંથને પોતાના માલિકના ઘરમાં એક પવિત્ર સ્થાનપર આદરપૂર્વક રાખ્યો, અને દરરોજ તેની પૂજા કરવા લાગ્યો. કેટલાક દિવસો પછી એક મુનિ એમના ઘેર પધાર્યા. શેઠે એમને ખૂબ જ ભક્તિપૂર્વક આહાર આપ્યો. તે જ સમયે તે ભરવાડે પેલો આગમગ્રંથ આ મુનિને પ્રદાન કર્યો. આ દાનથી Please inform us of any errors on [email protected]
SR No.008210
Book TitleAshtapahuda
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy