SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates અષ્ટપાહુડ) XVII કુન્દકુન્દ્રાચાર્યની વિદેગમનની ચર્ચા કરવામાં આવેલ છે. દર્શનસાર ના અંતમાં લખ્યું છે કે મેં આ દર્શનસાર ગ્રંથ પૂર્વાચાર્યોની ગાથાઓનું સંકલન કરીને બનાવ્યું છે. આ સ્થિતિમાં આ વાત અત્યંત સ્પષ્ટ છે કે કુન્દકુન્દના મહાવિદેહુ ગમનની ચર્ચા કરવાવાળી ગાથા પણ દસમી શતાબ્દીથી બહુ પહેલાંની હોઈ શકે છે. આ સંદર્ભમાં શ્રુતસાગર સૂરિનું નીચે લખેલું કથન પણ જોઈ જવા જેવું છે: श्री पद्मनन्दि कुन्दकुन्दाचार्य वक्रग्रीवाचार्य गृद्धपिच्छाचार्यनाम पञ्च कवि राजितेन चतुरंगलाकाशगमन र्द्धिना पूर्व विदेह पुण्डरीकिणी नगर वन्दित सीमन्धरापरनाम स्वंयप्रभ जिनेन तच्छ्र त ज्ञान संबोधित भरत वर्षभव्यजीवेन श्रीजिन चन्द्रसूरि भट्टारक पट्टाभरण ભૂતન વરુતિવાન સર્વશેન વિરચિતે પછામૃતળે........... - શ્રી પદ્મનંદી, કુન્દકુન્દાચાર્ય, વક્રગ્રીવાચાર્ય, એલાચાર્ય અને વૃદ્ધપિચ્છાચાર્ય એવા પાંચ નામધારી, જમીનથી ચાર આંગળ ઉપર આકાશમાં ચાલવાની ઋદ્ધિધારી; પૂર્વ વિદેહની પુણ્ડરીકણી નગરીમાં વિરાજેલ સીમંધર બીજું નામ સ્વયંપ્રભ તીર્થકરથી પ્રાપ્ત થયેલ જ્ઞાનથી ભરતક્ષેત્રના ભવ્યજીવોને ઉપદેશ કરવાવાળા શ્રી જિનચંદ્રસૂરિ ભટ્ટારકના પટ્ટના આભરણ (શણગાર) રૂપ કલિકાલસર્વજ્ઞ (શ્રી કુન્દકુન્દાચાર્યદેવ ) દ્વારા રચેલા પપ્રાભૃત ગ્રંથમાં.'' ઉપર લખેલ કથનમાં કુન્દકુન્દના પાંચ નામ, પૂર્વવિદેહગમન, આકાશગમન અને જિનચંદ્રાચાર્યના શિષ્ય ઉપરાંત તેમને કલિકાલ સર્વજ્ઞ પણ કહેલ છે. આચાર્ય કુન્દકુન્દના સંબંધમાં પ્રચલિત કથાઓનું અવલોકન કરી જવું પણ આવશ્યક છે. “જ્ઞાનપ્રબોધ' માં પ્રાપ્ત કથાનો સાર આ પ્રકારે છેઃ “માલવદેશ વારાપુર નગરમાં રાજા કુમુદચંદ્ર રાજ્ય કરતા હતા. એમની રાણીનું નામ કુમુદ ચંદ્રિકા હતું. તેમના રાજ્યમાં કુન્દશ્રેષ્ઠી નામના એક વણિક રહેતા હતા. તેમની પત્નીનું નામ કુન્દલતા હતું. તેમને એક કુન્દકુન્દ નામનો પુત્ર પણ હતો. બાળકોની સાથે રમત કરતાં તે બાળકે એક દિવસ ઉધાનમાં બેઠેલા જિનચંદ્ર નામના મુનિરાજના દર્શન કરવા માટે અને તેમના ઉપદેશ સાંભળવા માટે ગયા. ત્યાં અનેક નરનારીઓ સાથે તેમણે પણ ખૂબ જ ધ્યાનથી સાંભળ્યું. અગિયાર વર્ષના બાળક કુંદકુંદ એમના ઉપદેશથી એટલા બધા પ્રભાવિત થયા કે તેણે એમની પાસે દિક્ષા પણ લીધી. પ્રતિભાશાળી શિષ્ય કુંદકુંદને જિનચંદ્રાચાર્યે ૩૩ વર્ષની ઉમરે તેમને આચાર્ય પદવી પણ આપી. બહુ જ ઊંડાણથી ચિંતન કરવા છતાં પણ કોઈક શેય આચાર્ય કુંદકુંદને સ્પષ્ટ રીતે સમજાતું ન હતું. તેના ચિંતનમાં મગ્ન કુંદકુંદે વિદેહ ક્ષેત્રમાં જઈ વિદ્યમાન તિર્થંકર સીમંધર ભગવાનને નમસ્કાર કર્યા. Please inform us of any errors on [email protected]
SR No.008210
Book TitleAshtapahuda
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy