________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૪]
અહીં ગ્રંથાકારે પ્રસિદ્ધ કરવામાં આવ્યાં છે. મુમુક્ષુઓ તેનો અતિશય એકાગ્રતાપૂર્વક અભ્યાસ કરીને આત્મિક સુધારસનો અનુભવ કરી શકે એવી આંતરિક ભાવના થતાં શ્રી મૂળજીભાઈ ચત્રભુજ લાખાણીએ આ પ્રવચનોની આ આવૃત્તિ તેમના સુપુત્ર સ્વ. શ્રી ભાનુભાઈના ચિન્મય આત્માના સ્મરણાર્થે મુમુક્ષુઓને વાંચન, મનન અને નિદિધ્યાસન માટે ભેટ આપવા છપાવેલ છે. તેનો સઘળો ખર્ચ તેમણે આપ્યો છે. તેમનું આ કાર્ય અતિ પ્રશંસનીય અને અનુકરણીય છે.
આ બધાં પ્રવચનો શ્રી ખીમચંદભાઈ જેઠાલાલ શેઠે અત્યંત ચીવટપૂર્વક તપાસી આપ્યાં છે તેમ જ આ પ્રવચનોના પ્રકાશન માટે સલાહુ-સૂચન આપીને અનેક પ્રકારે સહાયતા કરી છે તે બદલ તેમનો આભાર માનવામાં આવે છે.
મુમુક્ષુઓ અતિશય ઉલ્લાસપૂર્વક આ પ્રવચનોનો અભ્યાસ કરી, ઉગ્ર પુરુષાર્થથી શુદ્ધાત્માનો અનુભવ કરવા માટે સતત પ્રયત્નશીલ બની, પરમાનંદને પામો.
રાજકોટ સં. ૨૦૧૯ ફાગણ વદ, ૩
રામજી માણકચંદ દોશી
પ્રમુખ, શ્રી રાજકોટ દિગંબર જૈન સંઘ,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com