SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૮ : અધ્યાત્મ-સંદેશ ભાવોને છોડાવવા (અને સ્વદ્રવ્યનો આશ્રય કરાવવા) ઉપચારથી તે અજીવ-કર્મને ‘ય’ પણ કોઈવાર કહેવાય છે, ત્યાં ખરેખર તો પરદ્રવ્યના આશ્રયે થતી અશુદ્ધતાનું જ હેયપણું બતાવવું છે. અજ્ઞાની સ્વદ્રવ્યને ભૂલીને, પરદ્રવ્યને ગ્રહણ-ત્યાગ કરવા માંગે છે તે વિપરીત બુદ્ધિ છે; જ્ઞાનીને પરમાં ગ્રહણ-ત્યાગની બુદ્ધિ નથી. મારે છોડવા-યોગ્ય હોય તો મારી અશુદ્ધતા, ને ગ્રહવાયોગ્ય હોય તો મારી શુદ્ધતા-અહા! આવી બુદ્ધિમાં કોઈ ઉપર રાગ કે દ્વેષ ન રહ્યો, કયાંય પરાશ્રયબુદ્ધિ ન રહી, પોતામાં જ જોવાનું રહ્યું. ભાઈ, તું બીજા અજીવને કે પરને છોડવા માંગે છે, પણ–એક તો તે તારાથી છૂટા છે જ, અને બીજાં આકાશમાં એકક્ષેત્રે રહેવારૂપ તેનો સંયોગ તો સિદ્ધનેય નથી છૂટતો. જગતમાં છએ દ્રવ્યો સદાકાળ એકક્ષેત્રાવગાહે રહેલાં છે. માટે પરને છોડવાની તારી બુદ્ધિ મિથ્યા છે. એ જ રીતે, પરનો એક અંશ પણ કદી તારા સ્વરૂપમાં આવતો નથી, માટે પરને ગ્રહવાની બુદ્ધિ પણ મિથ્યા છે. જ્ઞાનીને પરના ગ્રહણ-ત્યાગની આવી મિથ્યાબુદ્ધિ હોતી નથી. જ્ઞાનીની ચાલ અનોખી છે. એની પરિણતિ અંતરમાં જે ગ્રહણ-ત્યાગનું કાર્ય ક્ષણે ક્ષણે કરી રહી છે તે બહારથી ઓળખાય તેવું નથી; તે ક્ષણેક્ષણે શુદ્ધસ્વભાવને ગ્રહે છે ને પરભાવોને ક્ષણેક્ષણે છોડે છે. સ્વભાવનું ગ્રહણ ને પરભાવનો ત્યાગ-આવા ગ્રહણ-ત્યાગ વડે તે મોક્ષને સાધે છે. પર દ્રવ્ય મને અશુદ્ધતા કરાવે એમ જે માને તે પરદ્રવ્યને હ્ય માનીને દ્વષ કરે, પણ પોતાની અશુદ્ધતાને છોડવાનો ઉપાય કરે નહિ. પરના આશ્રયે મને શુદ્ધતા થાય એમ જે માને તે પરદ્રવ્યને ઉપાદેય માનીને તેના રાગમાં રોકાઈ રહે પણ સ્વદ્રવ્યનો આશ્રય કરીને શુદ્ધતાને તે સાથે નહિ. આ રીતે નિમિત્તાધીનદષ્ટિમાં રોકાયેલા જીવો સ્વભાવનું ગ્રહણ કે પરભાવનો ત્યાગ કરી શકતા નથી એટલે મોક્ષને સાધી શકતા નથી. અહો, એકવાર આ સમજે તો કેટલી વીતરાગતા થઈ જાય ! પરિણતિ સ્વાશ્રય તરફ વળીને મોક્ષ તરફ ચાલવા માંડે. એ ધર્મીની ચાલ છે. (ચાલ એટલે પદ્ધત્તિ; રીત; પરિણતિ માર્ગ.) આ પંડિત બનારસીદાસજીએ ઉપાદાન-નિમિત્તના દોહા પણ રચ્યા છે, દોહા તો ફક્ત ૭ છે પણ તેમાં સ્પષ્ટતા ઘણી છે. તેમાં કહે છે કે ધે વસ્તુ મરદય નાં તદ નિમિત્ત હૈ કોન ?” –જ્યાં બધી વસ્તુ Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
SR No.008202
Book TitleAdhyatma Sandesh
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1965
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, Sermon, K000, & K005
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy