SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પરમાર્થ વનિકા : ૧૫૭ તે બધાને ગુણસ્થાન સરખું કહેવાય, દષ્ટિ બધાની સરખી, પણ જ્ઞાનનો ક્ષયોપશમભાવ સર્વપ્રકારે સરખો હોતો નથી, ક્ષયોપશમભાવનો તથા ઉદયભાવનો એવો સ્વભાવ છે કે તેમાં ભિન્ન ભિન્ન જીવોને તારતમ્યતા હોય છે. ક્ષાયિકભાવમાં તારતમ્યતા ન હોય, તેમાં તો એક જ પ્રકાર હોય છે. લાખો કેવળીભગવંતો તેમા ગુણસ્થાને બિરાજે છે, તેમને ક્ષાયિકભાવ સરખો છે પણ ઉદયભાવમાં ફેર છે. ચોથા ગુણસ્થાને અસંખ્યાત જીવોમાં ઉદયભાવમાં કોઈને મનુષ્યગતિનો ઉદય, કોઈને નરકાદિતિનો ઉદય, કોઈને હજા૨ જોજનની મોટી અવગાહનાનો ઉદય, કોઈને એક હાથ જેટલી અલ્પ અવગાહના, કોઈને અલ્પઆયુનો ઉદય, કોઈને અસંખ્યાત વર્ષોનું આયુષ, કોઈને અસાતા, કોઈને સાતા, -એમ ઘણા પ્રકારથી વિચિત્રતા હોય છે. એ જ રીતે જ્ઞાનમાં પણ ઉઘાડની વિચિત્રતા અનેક પ્રકારની હોય છે. હજી સાધકને જ્ઞાનઅવસ્થામાં કેટલુંક પરાવલંબીપણું પણ છે, કેમકે જ્યાંસુધી ઇન્દ્રિયજ્ઞાન છે ત્યાંસુધી પરાવલંબીપણું છે, પણ તે પરાવલંબીપણામાં મોક્ષમાર્ગ જ્ઞાની માનતા નથી. કોઈ જ્ઞાનીનું જ્ઞાન એવું ન હોય કે પરાશ્રયે મોક્ષમાર્ગ માને. પરાશ્રિત ભાવથી મોક્ષમાર્ગ માને તો તે ‘જ્ઞાન ' નહી પણ અજ્ઞાન. જ્ઞાનીને જ્ઞાનમાં અમુક પરાલંબીપણું હોવા છતાં મિથ્યાપણું નથી; પરાલંબીપણાને તે ઉપાદેયરૂપ કે મોક્ષમાર્ગ માનતા નથી. મોક્ષમાર્ગ તો સ્વાશ્રિત જ છે, –એમ તે નિઃશંક જાણે છે; એટલે હૈય-જ્ઞેય-ઉપાદેયનું સ્વરૂપ તે બરાબર જાણે છે. ઉપાદેયરૂપ પોતાની શુદ્ધતા, હેયરૂપ પોતાની અશુદ્ધતા, અને શેયરૂપ અન્ય છ દ્રવ્યો. અહીં જ્ઞેયરૂપ ‘અન્ય છ દ્રવ્યો’ કહ્યા તેમાં જો કે સ્વદ્રવ્ય પણ શેયરૂપ તો છે પણ ઉપાદેયમાં તે આવી ગયું, કેમકે શુદ્ધદ્રવ્યને જાણે તો જ ઉપાદેય કરે ને ? જાણ્યા વિના કોને આદરશે ? આ રીતે ઉપાદેય કહેતાં ‘શેયપણું' તો આવી જ ગયું, એટલે જ્ઞેયમાં તેની વાત જીદી ન કરી. જ્યારે અન્ય જીવાદિ છ દ્રવ્યો તો માત્ર જ્ઞેયરૂપ જ છે. હવે નવતત્ત્વમાં લઈએ તોઃ શેયરૂપ તો બધાય તત્ત્વો છે; ઉપાદેયરૂપ શુદ્ધજીવ તથા સંવ૨-નિર્જરા-મોક્ષ છે; હેયરૂપ પુણ્ય-પાપ-આસ્રવ ને બંધ છે. અજીવતત્ત્વ ય નથી, ઉપાદેય નથી, માત્ર જ્ઞેય છે; એટલે જડકર્મ પણ ખરેખર હેય-ઉપાદેય નથી, તે માત્ર જ્ઞેય છે; છતાં, તેના આશ્રયે થતા પર Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
SR No.008202
Book TitleAdhyatma Sandesh
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1965
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, Sermon, K000, & K005
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy