SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ જે પરમાત્મા ચિદાકાશ રૂપ છે,કેવળ છે,અને આદિ,મધ્ય અને અંત થી રહિત છે, તે જ પરમાત્મા (બ્રહ્મ) અજ્ઞાન ને લીધે જાણે આકારવાળા પુરુષ (બ્રહ્મા) જેવા જોવામાં આવે છે, વાસ્તવિક રીતે વિચારતાં,તો જેમ વાંઝણી ને પુત્ર હોઈ શકે નહિ,તેમ,પરમાત્મા ને દેહ નથી. (3) મનના સંકલ્પ થી થયેલું જગત મિથ્યા છે. રામ કહે છે કે-પૃથ્વી આદિ પંચભૂતો થી રહિત અને શુદ્ધ જે મન છે તે જ બ્રહ્મા છે - એમ તમે જે કહી ગયા તે વાત અનુભવમાં આવે છે, પરંતુ મારાં-તમારાં તથા બીજા પ્રાણીઓનાં શરીરો ની ઉત્પત્તિ માં જેમ વાસનાઓ કારણભૂત છે તેમ બ્રહ્મા ની ઉત્પત્તિ માં પણ તેમના પૂર્વ-જન્મ ની વાસનાઓ કેમ કારણ-ભૂત ના હોય? તે વિષે મને કહો. વશિષ્ઠ કહે છે કે-જેને ભોગવવાનાં "પૂર્વ-કર્મ વાળો -પૂર્વદેહ" હોય તેને આ દેહની ઉત્પત્તિ થવામાં - પૂવદેહ ની વાસનાઓ કારણરૂપ હોય છે .પણ, નુ બ્રહ્માને તો પૂર્વદેહ જ નહોતો,અને તેને લીધે તેમણે પૂર્વ નું કોઈ જ કર્મ નહોતું. એટલે,પછી,બ્રહ્મા ને પૂર્વ દેહની વાસનાઓ અને વાસનાઓ ને લીધે દેહ કેમ હોઈ શકે? આથી,બ્રહ્મા નું શરીર -"સહાય આપનારાં કારણો" વગર જ પ્રકાશે છે. અથવા-આપણી "કલ્પના-રૂપ કારણ"ને લીધે જ પ્રકાશે છે. બાકી,યથાર્થ જ્ઞાન-વાળા બ્રહ્મા તો પોતાના કારણ-રૂપ ચિદાકાશ થી ભિન્ન રૂપ નથી જ. હે,રામ,અજન્મા અને સ્વયંભૂ-એવા એ બ્રહ્મા નો જે દેહ છે તે,લિંગ-દેહ જ છે,ભૂતમય સ્થૂળ દેહ નથી. રામ કહે છે કે-સર્વ પ્રાણીઓને લિંગદેહ અને સ્થૂળદેહ -એમ બે દેહ છે. ત્યારે બ્રહ્મા ને એક લિંગ દેહ જ છે,તો તેનું કારણ શું? વશિષ્ઠ કહે છે કે-સઘળાં પ્રાણીઓનાં શરીર પંચમહાભૂતો વાળાં છે,તેથી તેમણે બબ્બે દેહ છે પણ, બ્રહ્મા પોતે તો સહ-કારી (સહાય આપનારાં)"કારણ" થી રહિત છે.તેથી તેમણે એક લિંગ-દેહ છે. બ્રહ્મા સઘળાં પ્રાણીઓ ના કારણ-રૂપ છે,પણ બ્રહ્મા નું કોઈ કારણ નથી,તેથી તે એક દેહવાળા છે. આમ,બ્રહ્મા કે જે ચિદાકાશ-રૂપ,માત્ર ચિત્તરૂપ શરીરવાળા છે અને એ આદ્ય-પ્રજાપતિ થી સઘળી પ્રજા ઉત્પન્ન થઇ છે,એટલે તે સઘળી પ્રજાઓ પણ ચિદાકાશ-રૂપ જ છે.અને બ્રહ્મા ના "સંકલ્પ" સિવાય બીજા કોઈ કારણોથી તે સઘળી પ્રજા ઉત્પન્ન થતી નથી. આમ,બ્રહ્મા જેમ "બ્રહ્મ-રૂપ" છે તેમ સઘળી પ્રજા પણ બ્રહ્મ-રૂપ છે.કારણકે જે જેમાંથી ઉત્પન્ન થયું હોય છે,તે તે રૂપ જ હોય છે-એવો સઘળાઓ નો અનુભવ છે. જેમ,વાયુથી ઉત્પન્ન થતી ચલન-રૂપ સૃષ્ટિ -એ વાયુ થી જુદી નથી, તેમ,બ્રહ્મા થી ઉત્પન્ન થયેલી આ સૃષ્ટિ પણ બ્રહ્મથી જદી નથી.તે બ્રહ્મ-રૂપ જ છે. એ બ્રહ્મા પરમાત્મા ના સંકલ્પ-રૂપ છે.તેથી તે જગતની પેઠે કર્માધીન નથી.આથી તે જન્મતા કે મરતા નથી સંકલ્પ થી થયેલા "પુરુષ-રૂપ" અને પૃથ્વી-વગેરે પંચ-મહાભૂતો થી રહિત એ બ્રહ્મ કેવળ "ચિત્ત(મન)માત્ર" છે, અને સઘળાં બ્રહ્માંડો ની ઉત્પત્તિ ના કારણ-રૂપ છે. જે જે પ્રકારે એ બ્રહ્મા નો સંકલ્પ થાય તે તે પ્રકારે જગત પ્રગટ થતું જાય છે. એટલે આ જગત એ પ્રાતિભાસિક (સંકલ્પ થી કલ્પેલી) છે,તો પણ તેનું આ રૂપ મનુષ્ય દૃઢપણે ભૂલી જાય છે. 74
SR No.008125
Book TitleYog Vaasishtha Part 01
Original Sutra AuthorN/A
AuthorAnil Pravinbhai Shukla
PublisherAnil Pravinbhai Shukla
Publication Year2014
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Other
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy