SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ જયારે મહા-પ્રલય થાય છે,ત્યારે બીજું કંઈ પણ અવશેષ રહેતું નથી,પણ માત્ર - શાંત,અજર,અમર,અનંત,કેવળ,સૂક્ષ્મ,ઉપાધિરહિત,સર્વોત્તમ અને અનાત્મ-પદાર્થો થી રહિત - એ પર-બ્રહ્મ જ શેષ રહે છે. જયારે સૃષ્ટિ નો આરંભ થાય છે,ત્યારે એ બ્રહ્મ નો સ્વભાવ "જ્ઞાન-માત્ર" હોવાથી - તેમાં "પર્વત ના જેવું" અને "હું દેહ છું" એમ કહેવાના પાત્ર-રૂપ એવું "વિરાટ-સ્વરૂપ" આપણી "વાસના-રૂપ-હેતુ થી" "કાક-તાલીય-ન્યાય" (કાગનું બેસવું-તાડનું પડવું) વડે સ્ફૂરી નીકળે છે. અને તે જ વખતે, સ્વપ્ન-ના "શરીર" જેવો "મિથ્યા" આકાર -અકસ્માત જ જોવામાં આવે છે. સૃષ્ટિ ના આરંભમાં એ "પર-બ્રહ્મ-રૂપ-આકાશ" માં એ "આકાશજ" બ્રાહ્મણ રહેલો છે.અને એનેદેહ,કર્મો,કર્તા-પણું,કે વાસના-કંઈ પણ નથી,અને શુદ્ધ ચિદાકાશ-રૂપ,જ્ઞાનઘન,પ્રભારૂપ અને વ્યાપક છે. તેને પૂર્વ-જન્મ ની વાસનાઓ ની કાંઈ પણ જાળ નથી. જો એના ચિત્ત ની વૃત્તિ બહિર્મુખ ન હોય તેઓ તે હમણાં જેવો જોવામાં આવે છે,તેવો પણ જોવામાં આવે નહિ. આથી પર-બ્રહ્મ ના જ્ઞાનથી,વિષયનું મિથ્યા-પણું જાણવામાં આવે તો-પછી,વિષયો ને જાણનારી સર્વ લાગણીઓ,પણ ચૈતન્ય-રૂપ થઇ જાય,એટલે પછી,તેમાં,પંચ-મહાભૂતો નો સંભવ જ ક્યાંથી અને કેવો હોય? તો,હે મૃત્યુ,તું એ આકાશજ બ્રાહ્મણ ને દબાવવાનો પ્રયત્ન જ કરીશ નહિ, કારણકે આકાશ કોઈ સમયે અને કોઈથી પણ પકડી શકાતું નથી. વશિષ્ઠ કહે છે કે-યમ ની આવી વાત સાંભળીને, મૃત્યુ વિસ્મય પામ્યો અને પાછો પોતાના સ્થળે ગયો. રામ કહે છે કે-આ,તો આપે સ્વયંભૂ અજન્મા,એકાંતમાં અને વિજ્ઞાન-રૂપ -એવા મારા પ્રપિતામહ, બ્રહ્માની જ કથા (આકાશજ બ્રાહ્મણ નું ઉદાહરણ આપીને) કહી છે એમ હું ધારું છું. વશિષ્ઠ કહે છે-કે-હે,રામ,તમે ધારો છો તે સાચું છે.મેં બ્રહ્માની જ વાત કહી છે. બે મનુઓ ના સંધિ-કાળમાં, મૃત્યુએ જયારે બ્રહ્મા ને દબાવવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે યમરાજા એ -તેને ઉપર મુજબ સમજ આપી હતી. જે કામ નિત્ય કરવામાં આવતું હોય,તે કામ માં જ રુચિ વધતી જાય છે,એ સ્વાભાવિક છે, આથી સર્વ ને મારતા મૃત્યુ ને બ્રહ્મા ને મારવાનું પણ મન થયું હતું. પણ બ્રહ્મા તો પર-બ્રહ્મ-રૂપ છે.મૃત્યુ તેને શી રીતે દબાવી શકે? બ્રહ્મા નું શરીર કેવળ મનોમાત્ર અને સંકલ્પમાત્ર છે.અને પૃથ્વી આદિ પંચમહાભૂતો થી રહિત છે. બ્રહ્મા એ-પર-બ્રહ્મચિદાકાશ ના -"ચમત્કાર-રૂપ" છે.અને અનુભવ-રૂપી આકારવાળા છે-તેથી તે પરબ્રહ્મ જ છે. અને તેમને (બ્રહ્માને) કારણ-પણું કે કાર્ય-પણું કાંઈ જ નથી. જેમ સંકલ્પ થી ઉત્પન્ન થયેલા પુરુષને પૃથ્વી આદિ પંચભૂતો નો સંબંધ હોતો નથી, અને,તે, જેમ આકાશ માં સ્ફુર્યા કરે છે,તેમ,બ્રહ્મા પણ પર-બ્રહ્મ માં સ્ફુર્યા કરે છે. જેમ,સ્વપ્નમાં તથા સંકલ્પમાં -પંચ મહાભૂતો સાથે સંબંધ થયા વિના -નગર-વગેરે દેખાય છે, તેમ,બ્રહ્મા પણ પંચમહાભૂત થી રહિત હોવા છતાં દેખાય છે. પરમાત્મા માં દૃશ્ય કે દ્રષ્ટા કાંઈ નથી,કેવળ ચૈતન્ય-પણું જ છે,તો પણ,તેમાં બ્રહ્મા પ્રતીત થાય છે. મન નું તે રૂપ સંકલ્પ માત્ર જ છે.તે પંચમહાભૂતો સાથે જોડાયેલું નથી,અને તે મન જ બ્રહ્મા કહેવાય છે. માટે બ્રહ્મા પરમાત્મા ના સંકલ્પ-રૂપ પુરુષ છે.અને તેમાં પૃથ્વી-આદિ પંચમહાભૂત નથી. જેમ,ચિત્ર ચિતરવાનો પ્રારંભ કરતાં પહેલાં ચિતારા ના મનમાં દેહ વિનાનું પુતળું ખડું થાય છે, તેમ,પરમાત્મા ના નિર્મળ મનમાં બ્રહ્મા ભાસે છે. 73
SR No.008125
Book TitleYog Vaasishtha Part 01
Original Sutra AuthorN/A
AuthorAnil Pravinbhai Shukla
PublisherAnil Pravinbhai Shukla
Publication Year2014
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Other
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy