SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ સંપત્તિ હોય, વિપત્તિ હોય,કે એવી કોઈ હજાર દશાઓ હોય,પ્રાણીઓ પોતાના પુરુષાર્થ થી જ તે તરી જાય છે. શાસ્ત્રથી,ગુરુથી કે પોતાનાથી-એમ ત્રણ પ્રકારે સિદ્ધિઓ મળે છે, અને એ ત્રણે પુરુષાર્થ ની જ સિદ્ધિઓ છે.એમની કોઈ દૈવ (પ્રારબ્ધ થી મળેલી) ની સિદ્ધિઓ નથી. અશુભ (ખરાબ) માર્ગો માં લાગેલા ચિત્તને પ્રયત્નપૂર્વક (પુરુષાર્થથી) શુભ (સારા) માર્ગ માં ઉતારવું તે જ –સઘળાં શાસ્ત્રો નું તાત્પર્ય (સારાંશ) છે. ગુરુઓ પણ શિષ્ય ને એ જ આદેશ કરે છે કે-હે,પુત્રો,જે સર્વોત્કૃષ્ટ (બ્રહ્મ) છે,જે વાસ્તવિક સત્ય છે, અને જે નિત્ય છે,તેને પામવા માટે જ પ્રયત્ન-પૂર્વક આચરણ કરો. વશિષ્ઠ કહે છે કે-હું પણ દૈવ થી નહિ,પણ પુરુષાર્થ થી જ ફળ પામ્યો છું.પુરુષાર્થ થી જ સિદ્ધી મળે છે. દૈવ તો કેવળ દુઃખમાં રડતા અને અલ્પ-બુદ્ધિવાળા લોકો નાં આંસુ લુછવા માટે જ છે. બાકી,બુદ્ધિમાન પુરુષો તો સર્વદા પુરુષાર્થ નું જ આચરણ કરે છે. જે જમે છે તે તૃપ્ત થાય છે,પણ જે જમતો નથી (જમવાનો પુરુષાર્થ કરતો નથી) તે તૃપ્ત થતો નથી, જે પગ ને ચલાવે છે તે ચાલે છે,પણ જે પગ ચલાવતો નથી તે ચાલતો નથી, જે જીભ ચલાવે તે બોલે છે,પણ જે જીભ ચલાવતો નથી,તે બોલતો નથી. આમ મનુષ્યો માં પુરુષાર્થ જ સફળ છે,બુદ્ધિમાન પુરુષો પુરુષાર્થથી જ અનેક સંકટો ને તરી જાય છે. આ જગતમાં હાથ-પગ જોડીને બેસી રહેવાથી કોઈને ય ફળ સાંપડતું નથી, હે,રામ, શુભ પુરુષાર્થ નું ફળ શુભ અને અશુભ પુરુષાર્થ થી અશુભ ફળ આવે છે, તો હવે તમારી જેવી ઈચ્છા હોય તે પ્રમાણે તમે કરો. મહાત્માઓ ના સમાગમથી અને ઉત્તમ શાસ્ત્રો ના શ્રવણથી તીવ્ર થયેલી બુદ્ધિ વડે,”તત્વ-બોધ “ થાય છે,અને પોતાની મેળે જ નિશ્ચય કરી શકાય છે કે-“શરીર ના ચલન-રૂપ સાધન થી” જ સ્વાર્થ (સ્વ-અર્થ—પરમ-અર્થ) સિદ્ધ થાય છે. અજ્ઞાનથી થયેલી વિષમતા દૂર થઇ સમતા મળે,તેથી જે અપાર આનંદ થાય છે,તે જ પરમાર્થ છે. અને, બાલ્યાવસ્થા થી જ જો પ્રયત્ન-પૂર્વક શાસ્ત્રોનો અને સત્સંગ કર્યો હોય તો તેના ગુણોથી, હિતકારી એવો સ્વાર્થ (સ્વ-અર્થ) સિદ્ધ થાય છે. બ્રહ્માંડ માં વિષ્ણુએ દૈત્યો ને જીત્યા,અને લોકોમાં મર્યાદા નું સ્થાપન કર્યું,ને જગત ની રચના કરી, એ સઘળું પુરુષાર્થ થી જ થયું છે,દૈવ (પ્રારબ્ધ) થી નહિ. હે,રઘુનાથ,આ જગતમાં આમ પુરુષાર્થ જ મુખ્ય કારણ છે,તો તમે એવો પુરુષાર્થ કરો,કે જેથી, તમને ઝાડ કે સર્પ ની (વગેરે) યોનિ પ્રાપ્ત ના થતાં પરમ-પદ ને પામો. (૮) દૈવ (પ્રારબ્ધ) નું મિથ્યાપણું વશિષ્ઠ બોલ્યા-દૈવ ને કોઈ આકાર નથી,કર્મ નથી,ગતિ નથી કે તેનું કોઈ પરાક્રમ પણ નથી. તો “આ દૈવ કહેવાય છે” તેવો કયો પદાર્થ હોઈ શકે? એ દૈવ એ ભ્રાંતિ(ભ્રમ) જેવું છે. જયારે મનુષ્ય ને પોતાના કર્મો (પુરુષાર્થ) કરવાથી ફળ પ્રાપ્ત થાય છે, ત્યારે, “આ કર્મ આ રીતે કર્યું હતું અને તેથી આ પ્રમાણે ફળ મળ્યું” એવી જે વાતો કરે છે, તે જ વાતો ”દેવ” ને નામે પ્રસિદ્ધ થાય છે. 43
SR No.008125
Book TitleYog Vaasishtha Part 01
Original Sutra AuthorN/A
AuthorAnil Pravinbhai Shukla
PublisherAnil Pravinbhai Shukla
Publication Year2014
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Other
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy