SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ 42 આ જગતમાં સર્વ પદાર્થો,દેશ, કાળ,ક્રિયા,અને દ્રવ્ય-ને આધીન રહી ને ઉત્પન્ન થાય છે, એટલે એમાં જે પ્રયત્ન કરે તે વિજયી થાય છે. માટે ઉત્તમ શાસ્ત્રો તથા સંત પુરુષો ના સમાગમ (સત્સંગ) કરીને પુરુષાર્થ સંપાદન કરવો,અને બુદ્ધિ ને નિર્મળ કરીને આ સંસાર-રૂપી સમુદ્રને તરી જવો. જે મનુષ્ય પ્રયત્ન કરીને પોતાનાં પૂર્વજન્મ નાં તુચ્છ કર્મો નો નાશ કરતો નથી,તેવો અજ્ઞાની, પોતાનાં સુખ-દુઃખ ને ટાળવાને પોતે સ્વતંત્ર હોતો નથી,અને તેથી, ઈશ્વર ની પ્રેરણા થી તેને સ્વર્ગમાં કે નર્ક માં જવું પડે છે.(તેનો મોક્ષ નથી). અને તે હંમેશાં પરાધીન અને પશુ-તુલ્ય (પશુ સમાન) જ રહે છે તેમાં સંદેહ નથી. સંસારમાં જે હજારો વ્યવહારો (કર્મો કરવામા આવે છે અને ને જાય છે, તેમાં, હર્ષનો અને શોક નો ત્યાગ કરીને શાસ્ત્ર પ્રમાણે જ પોતાની મર્યાદાઓ નો ભંગ ના કરતાં, તે વ્યવહારોમાં વર્તવું યોગ્ય છે ને તો જ સર્વ ઇષ્ટ વસ્તુઓનો લાભ થાય છે. એટલે,આમ,શાસ્ત્ર-વિધિને અનુસરીને જે રીતે પોતાનો સ્વાર્થ સિદ્ધ થાય તેવાં કાર્યો કરવાં, તેનું નામ “પુરુષાર્થ” છે, અને તે સિદ્ધિ આપે છે, તેવું વિદ્વાનો કહે છે. શાસ્ત્ર ના શ્રવણ કરવાથી બુદ્ધિ સ્વચ્છ થાય છે ને તે સ્વચ્છ બુદ્ધિ વડે, પોતાની મેળે,પોતાના આત્મા નો ઉદ્ધાર કરવો,તેને “સ્વાર્થ-સાધકતા” (સ્વાર્થસાધનાર પણું) કહેવાય છે. અને અજ્ઞાનથી થયેલી વિષમતા દૂર થતાં જે આનંદ થાય છે તેને વિદ્વાનો “પરમાર્થ” કહે છે. (આ સ્વાર્થ માં,સ્વાર્થ સાધતાં, બીજા કોઈને કશું નુકશાન પહોચાડવામાં આવતું નથી!!) હે, રામ "દૈવ” (પ્રારબ્ધ) એ સર્વ કારણોથી, અને કાર્યોથી રહિત છે, ને, માત્ર પોતાની કલ્પના ના બળ થી જ કલ્પી કાઢેલું છે. માટે તે મિથ્યા (ખોટું) છે. માટે તેની દરકાર રાખ્યા વિના તેનો ત્યાગ કરી પુરુષાર્થ નો જ આશ્રય કરો. દૈવ અને પુરુષાર્થ ના સંબંધમાં બહુ વિચાર કરનારા પંડિતોએ એવો નિશ્ચય કર્યો છે-કેપુરુષાર્થ (શાસ્ત્રોક્ત કર્મો-ક્રિયાઓ) કરવાથી,દૈવ (પ્રારબ્ધ) નો પરાજય થાય છે, માટે, શમ-દમ-સંપન્ન-અધિકારી પુરુષોએ,સંત-મહાત્મા પુરુષોની સેવા કરીને,નિત્ય શ્રવણ-મનન-દ્વારા, તત્વ-જ્ઞાન ને મેળવવા માટે ઉદ્યમ (પુરુષાર્થ) કરવો જોઈએ. (૭) પરષાર્થ નાં વખાણ વશિષ્ઠ બોલ્યા-રોગો (વ્યાધિઓ) વિનાના અને થોડી માનસિક પીડાઓ (આધિઓ) વાળા, મનુષ્ય-દેહ ને પ્રાપ્ત થઈને,સમજુ પુરુષે ચિત્ત (મન) નું એવી રીતે સમાધાન કરવું કેતેથી તેને ફરીવાર જન્મ લેવો (મનુષ્ય-દેહ ધારણ કરવો) પડે નહિ. જે મનુષ્ય પુરુષાર્થ થી દેવ ને હઠાવવાનો પ્રયત્ન કરે છે, તેના આ લોકમાં અને પરલોકમાં સર્વ મનોરથો પૂર્ણ થાય છે.પરંતુ જે લોકો દૈવ પર આધાર રાખીને બેસી રહે છે, પુરુષાર્થ છોડી દે છે,તે તો પોતાના શત્રુઓ છે. જયારે પુરુષાર્થ ના વિષય નું સ્કરણ (પ્રેરણા) થાય ,તો,તે પ્રમાણે મનની ગતિ થાય છે.અને મનની ગતિ પ્રમાણે ઇન્દ્રિયો ની પ્રવૃત્તિ થાય છે, અને ઇન્દ્રિયોની પ્રવૃત્તિ પ્રમાણે ફળભોગની પ્રાપ્તિ થાય છે. હે, રામચંદ્ર, દીનતા, દરિદ્રતા-વગેરે દુઃખોથી પીડાયેલા મોટામોટા પુરુષો પણ પોતાના પુરુષાર્થ થી જ, ઇન્દ્ર સમાન થયા છે. તો કેટલાક પુરુષો વૈભવ નો ઉપયોગ કરી પોતાના પુરુષાર્થ થી જ નરકમાં ગયા છે.
SR No.008125
Book TitleYog Vaasishtha Part 01
Original Sutra AuthorN/A
AuthorAnil Pravinbhai Shukla
PublisherAnil Pravinbhai Shukla
Publication Year2014
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Other
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy