SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ 251. તદુપરાંત,"સર્વ ચૈતન્ય-મય છે, માટે સર્વ સ્થળે ચૈતન્ય નો જ અનુભવ થાય છે એવું માનીએ તો-તે ચૈતન્ય ના અનુભવમાં “હું જાણું છું” એમ અનુભવ થવો જોઈએ નહિ. કારણકે ચૈતન્ય તો એક જ છે તો પછી,બે ચૈતન્ય નો અનુભવ કેવી રીતે થાય? લાકડું, પથ્થર અને માટી એ બધાં જડ-રૂપે સમાન છે, તેથી એ બધાં સાથે મળવાથી ઘર-રૂપી - જડ પદાર્થનો અનુભવ થાય છે, પણ તેમાં ચૈતન્યનો અનુભવ થતો નથી.જયારે, જીભ અને રસ એ બંને જળ-રૂપે સમાન હોવાથી, તેમના સમાગમથી જળ-રૂપ રસનો અનુભવ થાય છે. વસ્તુતઃ (ખરું જોતાં) તો સર્વ અનંત-બ્રહ્મ નું સ્વરૂપ છે, અને તે સર્વ પ્રકાશ-મય છે.માટે, હે, રામ,આ વિશ્વ બ્રહ્મ-મય છે તેમ તમે જાણો. "આ જગત મિથ્યા છે" એમ માનવું એ જ ચૈતન્ય નો ચમત્કાર છે. તે અવિદ્યા (માયા) ના લીધે જ આ વિશ્વ એ ભ્રમ થી ભરપુર નથી તો પણ,લાખો ભ્રમ થી ભરપૂર જણાય છે. જયારે મનુષ્ય ના કલ્પલા,પુરુષો,પરસ્પર ક્રૂરતા નથી અને દેશ-કાળનો અટકાવ કરતા નથી. આ જ પ્રમાણે સર્ગો વિશેની એવી જ સ્થિતિ છે. જ્યાં સુધી ભેદ-બુદ્ધિ છે ત્યાં સુધી સર્ગ-પણું,અહંતા વગેરે ભ્રમ નો ઉદય થાય છે. પરમ-સત્ય નો અનુભવ થાય પછી,તેનું જ્ઞાન થયા પછી આ સર્ગ અસત્ય છે તેમ જાણવામાં આવે છે. જયારે ચિત્ત એક દેશમાંથી બીજા દેશમાં જાય છે ત્યારે મધ્યમાં એટલે કે બીજા દેશમાં ગયા પહેલાં, જડતા વિનાનું તથા જ્ઞાન-રૂપ -તેવા તે ચિત્ત નું સ્વરૂપ થઈને તમે સર્વદા રહો. જાગ્રત-સ્વપ્ન-અને નિંદ્રા થી રહિત તમારું જે સનાતન-ચિત્ત-વૃત્તિ થી રહિત અને અજડ-રૂપ છેતે રૂપ થઈને તમે સર્વદા રહો. તમે સમાધિમાં હો કે વ્યવહાર કરતા હો ત્યારે પથ્થરનું જે ચૈતન્ય-ઘન-રૂપ-હૃદય છે તેવા થઈને તમે સર્વદા રહો. કોઈ પણ મનુષ્ય કે કોઈ પણ વસ્તુનો ઉદય થતો નથી કે લય થતો નથી, માટે સમાધિ કે વ્યવહાર દશામાં સ્વસ્થ પણે પરમાર્થ (પરમ-અર્થ) દ્રષ્ટિને અનુસરો. દેહમાં, કોઈ પણ આત્મા કોઈ પણ ઈચ્છા કરતો નથી,કે દ્વેષ કરતો નથી, માટે તમે શંકાનો ત્યાગ કરીને,સ્વસ્થ-પણે રહો અને દેહની વૃત્તિમાં પડો નહિ. જેવી રીતે “ભવિષ્યમાં થનારા સંસારિક વ્યવહાર” માટે કોઈ પ્રવૃત્તિ થઇ શકતી નથી, તેવી રીતે “વર્તમાન માં થતા વ્યવહારમાં મિથ્યાત્વદૃષ્ટિ રાખો. અને સત્ય-સ્વ-રૂપ-બ્રહ્મ-ભાવને પ્રાપ્ત થઇને ચિત્ત-વૃત્તિમાં રહો નહિ. જેવી રીતે બીજા દેશમાં રહેલો મનુષ્ય અહીં પાસે ના હોવાથી કોઈ ઉપયોગમાં આવી શકતો નથી, તેમ જ લાકડું-પથ્થર વગેરે પાસે હોય તો પણ તે અચેતન હોવાથી પરમાર્થમાં ઉપયોગી નથી, તેવી જ રીતે તે ચિત્તને તમે જુઓ. કારણકે-આત્મ-સ્વરૂપ પામવા માટે અ-ચિત્ત-પણું એ જ વિદ્વાનોએ અનુભવ થી સિદ્ધ કર્યું છે. પથ્થરમાં જેમ જળ નથી,અને જળમાં જેમ અગ્નિ નથી, તેમ દેહમાં ચિત્ત નથી,તોપરમાત્મા માં તો તે ચિત્ત કેમ હોઈ શકે? જે વસ્તુ નજરે જોવામાં આવતી નથી, તે વસ્તુ (ચિત્ત) જે કાર્ય કરે છે તે,ના કર્યા બરાબર જ છે, માટે ચિત્ત થી પરે થઈને રહેવું. જે મનુષ્ય અત્યંત જડ એવા ચિત્તને અનુસરીને રહે છે (આવું અત્યંત ખરાબ કાર્ય કરે છે તો),તે
SR No.008125
Book TitleYog Vaasishtha Part 01
Original Sutra AuthorN/A
AuthorAnil Pravinbhai Shukla
PublisherAnil Pravinbhai Shukla
Publication Year2014
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Other
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy