SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ જેવી રીતે,મનુષ્ય જયારે કૂદડી ફરે છે ત્યારે આખી પૃથ્વી ફરતી હોય તેમ દેખાય છે, તેવી રીતે અવિદ્યાને લીધે સ્થિર વસ્તુ પણ અસ્થિર દેખાય છે ને-અચળ વસ્તુ ચલાયમાન દેખાય છે. વાસના વાળું-ચિત્ત જેવીજેવી ભાવના કરે છે તેવો તેવો તેને અનુભવ થાય છે,અને, તે અનુભવ (વસ્તુતઃ) સાચો પણ નથી અને ખોટો પણ નથી લાગતો. બુદ્ધિ અવળી થવાથી,જીવ,પોતાને ઘેટાં જેવો સમજે છે તેવી જ રીતે, ઘેટો પણ સિંહ-પણું ધારણ કરે છે. અવિદ્યા અને મોહ-એ અનંત ભ્રમને ઉત્પન્ન કરનારાં છે. આ પ્રમાણે અવિદ્યા અને તેનાથી ઉત્પન્ન થનાર મોહ અને અહંતા –વગેરે મનુષ્યના "ચિત્તના-અવળા-પણા-રૂપી-ફળ-રૂપી”સંપત્તિ ના કારણ-રૂપ છે. અને તેથી જ તે મનુષ્યો,તે વાસનાને લીધે,અકસ્માત જ મોટા મોટા વ્યવહારની કલ્પના કરે છે. ચંડાળના સ્થાનકમાં કોઈ ચંડાળ કન્યા નો કોઈ ચંડાળ જોડે વિવાહ થયો અને તે સત્ હોય કે અસત્ હોય, તો પણ લવણ-રાજાના મનમાં તે સાચો પ્રતીત થયો. જે પ્રમાણે કોઈ મનુષ્ય કોઈ કામ કરેલું હોય અને તેનો તેને સંપૂર્ણ અનુભવ હોય, તો પણ તેને કરેલી ક્રિયાનું તેને વિસ્મરણ થઇ જાય છે, તે જ પ્રમાણે કોઈ વાર તેણે ન કરેલા તથા ન અનુભવેલા વિષય નું સ્મરણ પણ થઇ આવે છે. સ્વપ્ન માં તો ઘણીવાર મનુષ્ય દેશાંતર માં જઈને પોતે ભોજન ના કર્યું હોય તો પણ, “મેં ત્યાં ભોજન કર્યું છે” એવું ચિત્તમાં જાણે છે. જેમ સ્વપ્નમાં પ્રાચીન કથા જોવામાં આવે છે, તેમ લવણ-રાજાને પ્રતિભાસથી તે વૃત્તાંત અનુભવમાં આવ્યો છે. અને રાજાએ સ્વપ્ન માં જે વિભ્રમ જોયો હતો -તે જ વિભ્રમ,ગાઢ વનમાં રહેલા ચંડાળ ના ચિત્તમાં પ્રાપ્ત થયો. એટલે કે-લવણ-રાજાના મન ની કલ્પનાઓનો,તે ગાઢ વનમાં રહેલા ચંડાળના ચિત્તમાં ઉદય થયો. જે પ્રમાણે ઘણાં માણસોનાં નામ,તેમનાં વચન,તથા તેમણે પોતાના મનથી કરેલી કલ્પના- એ બધું, કોઈ સમયે,શબ્દ તથા અર્થ થી મળતું આવે છે, તે,પ્રમાણે,સ્વપ્નમાં જુદાજુદા માણસોએ જોયેલાં,કાળ,દેશ તથા ક્રિયા મળતાં આવે છે. આમ,વ્યવહાર ની ગતિમાં અધિષ્ઠાન ચૈતન્યની સત્તાથી જ,"પ્રતિભાસ” ને લીધે,સર્વ વસ્તુ ની સત્તા છે. અને “સંવેદન” વિના (એટલે કે જો સંવેદન ના હોય તો) તે સર્વ પદાર્થ ની કોઈ સત્તા પણ નથી જ. જેમ,જળમાં તરંગ અને બીજમાં વૃક્ષ –એ એક છતાં ભિન્ન-રૂપે જણાય છે, તેમ,આ જગત,ભૂત-ભવિષ્ય-વર્તમાનમાં, સંવેદનની સત્તાથી જ સંવેદનથી ભિન્ન-રૂપે જણાય છે.પણ, તેનું "સત્-પણું કે અસત્-પણું" એ- સત નથી તેમ અસત્ પણ નથી. સત્ય દૃષ્ટિ થી સંવેદન નું સત્-પણું એ સત્ય છે અને અસત્ય દૃષ્ટિ થી તેનું અસત્-પણું અસત્ય છે. અવિદ્યા થી આત્મ-તત્વ સાથે સંબંધ થતો નથી,કારણકે તે બંને માં સમાન-પણું નથી. વિષમ પદાર્થ નો પરસ્પર સંબંધ થવાનો સંભવ નથી,પણ સંબંધ (જેમકે-લાકડું અને લાખ) થયા વિના, પરસ્પર નો અનુભવ થતો નથી.(પરસ્પર છૂટા પાડી શકાતા નથી) 250 વળી,સમાન વસ્તુ,બીજી સમાન વસ્તુમાં સંપૂર્ણ-પણે એકતા પામીને એકત્વ થઈને રૂપમાં વૃદ્ધિ કરે છે. પણ,ચૈતન્ય અને જડ-એ બેમાં પોતાની વિલક્ષણતા હોવાથી,તેમની એકતા થતી નથી.
SR No.008125
Book TitleYog Vaasishtha Part 01
Original Sutra AuthorN/A
AuthorAnil Pravinbhai Shukla
PublisherAnil Pravinbhai Shukla
Publication Year2014
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Other
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy