SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ 154 પણ તેમાં જે જુદા-પણું જણાય છે-તે અજ્ઞાન જ છે અને તેને "સંસ્કૃતિ" કહે છે. આ સંસ્કૃતિ એ મિથ્યા (ખોટા) જ્ઞાનથી ઉત્પન્ન થયેલી છે. "કારણ" વગર "કાર્ય" ની ઉત્પત્તિ થતી નથી અને સ્વપ્નમાં સહકારી(સહકાર આપનાર) "કારણ" નો અભાવ છે, આથી સંવિત (સત્ય) તથા સ્વપ્ન ના પદાર્થ નું "જુદા-પણું" છે એમ કહેવું નિરર્થક છે. જેવી રીતે સ્વપ્ન (અવસ્થા) છે તેવી જ રીતે જાગ્રત (અવસ્થા) છે એમાં કોઈ સંશય નથી.કારણકેસ્વપ્ન માં જેમ અસત નગર દેખાય છે-તેમ સૃષ્ટિ ના આરંભમાં અસત જગત જણાય છે. સ્વપ્ન માં જોયેલો અર્થ સાચો થવાને યોગ્ય નથી,કારણકે-સંવિત (સત્ય-જ્ઞાન) ને નિત્ય "સત-પણું" છે, અને સ્વપ્ન ના અર્થ ને નિત્ય "અસત્ય-પણું" છે. જેમ સ્વપ્ન માં જોયેલો પર્વત ક્ષણ-માત્રમાં આકાશ-રૂપે થઇ જાય છે, અને ક્રમે કરીને બોધ થયા પછી. તે બધું ખોટું જણાય છે.તેમ "અમુક માણસ નું મરણ થયું" એવું પાસે ઉભેલાઓ જે જુએ છે, તે પોતાના "અજ્ઞાનથી કર્ભેલા દેહ" થી જ જોવામાં આવે છે. આથી,આ સંસારમાં જે "બૈત-દષ્ટિ" છે-તે મોહથી છે-તેથી એ સંસાર મિથ્યા છે. ખોટું જણાય છે. તેમાથી જ જોવામાં આવેBસંસાર મિથ્યા છે. ઇન્દ્રજાળ જેમ માયાથી ભ્રાંતિ-રૂપે જણાય છે, તથા,સ્વપ્નમાં જેમ અસત પદાર્થ નો અનુભવ થાય છેતેમ આ પ્રપંચ (માયા) પણ ભ્રાંતિ-રૂપ જ છે. મરણ ની મૂર્છા થયા પછી,"ભ્રમ-દૃષ્ટિ-વાળા-પુરુષને" (પોતાનામાં) દૃઢ થયેલા "સંસ્કાર નો ઉદય" થવાથી"સ્વપ્ન ના અનુભવ ની જેમ" જે જે "પ્રત્યક્ષ" સર્ગ નો અનુભવ થાય છેતે તે ઝાંઝવાના પાણી જેમ મિથ્યા છે, અને આ રીતે જ આવું "આતિવાહિક-દેહ" માં "મનોમય" કહેવાય છે. (૫૮) પદ્ગારાજા નું સજીવન થવું વશિષ્ઠ કહે છે કે-હે રામ,જેમ વન-વાયુ ના વેગ ને રોકે છેતેમ સરસ્વતીએ વિદુરથ ના જીવ ને સંકલ્પ વડે રોકી દીધો. લીલાદેવી સરસ્વતી ને કહે છે કે-આ રાજા (પદ્મરાજા) શબ-રૂપે રહ્યા અને હું સમાધિમાં રહી, તેને કેટલો સમય થયો? અને મારા દેહનું શું થયું હતું? તે મને કહો. સરસ્વતી કહે છે કે આ પ્રસંગ ને એક મહિનો થઇ ગયો.તારા દેહનું શું થયું તે હું કહું છું તે સાંભળ. તું સમાધિમાં રહ્યા પછી,પંદરમે દિવસે તારું શરીર પરસેવાથી ભીંજાઈ ગયું.અને ક્રમે કરીને સુકાયેલા પાંદડાની જેમ નિર્જીવ થઈને જમીન પર પડી ગયું.આમ તારું શબ જડ અને હિમ જેવું શીતલ થઇ ગયું. કારભારીઓએ આવીને તારા શરીરને ફરીફરી જોઈને નિશ્ચય કર્યો કે તું મરી ગઈ છે. અને તને ઘરની બહાર કાઢી, ચંદનનાં લાકડા ની ચિતા ખડકી તેમાં ધી સહિત તારા દેહનો અગ્નિદાહ કર્યો. ત્યાર પછી "રાણી નું મરણ થયું" એવી રીતે ઉંચા સ્વરે પોક મૂકી તારા પરિવારે આકુળતાથી તારી ઉત્તર-ક્રિયા કરી.હવે પછી તું શરીર સાથે આવી એટલે તે જોઈને "રાણી પરલોકમાંથી પછી આવી" એમ જાણી લોકોને ઘણું આશ્ચર્ય લાગશે. હે, પુત્રી,સત્ય-સંકલ્પ થી તારું શરીર આતિવાહિક થયું છે, અને માણસો તને જોઈ ના શકે તો પણ લોકો તને આશ્ચર્ય થી જોશે.(મરણ પામેલી લીલા-નવી લીલા તરીકે પાછી આવી છે તે જોઈને ) સરસ્વતી કહે છે -કે-હે,લીલા,દેહમાં તારી જ વાસના હતી-તેવો જ તારો આકાર છે, માટે તારું રૂપ
SR No.008125
Book TitleYog Vaasishtha Part 01
Original Sutra AuthorN/A
AuthorAnil Pravinbhai Shukla
PublisherAnil Pravinbhai Shukla
Publication Year2014
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Other
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy