SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ આતિવાહિક ના અભ્યાસથી આધિભૌતિકપણા ની બુદ્ધિ ઉત્પન્ન થાય છે.અને તે આધિભૌતિકતા શાંત થયા પછી પ્રથમની પાછી -આતિવાહકપણાની બુદ્ધિ પ્રવૃત્ત થાય છે. તે સમયે નિર્મળ બોધ (જ્ઞાન) થવાથી,સ્વપ્ન ના મનુષ્ય ની પેઠે-દેહ નું ભારે-પણું,કઠિન-પણું -એવી રીતો નો ખોટો આગ્રહ શાંત થાય છે. તેથી સ્વપ્નમાં "આ મારું સ્વપ્ન નું શરીર છે" એવું જ્ઞાન થવાથી-જેમ સ્વપ્ન નું શરીર હલકું થઇ જાય છે, તેમ તે યોગીનો દેહ (આ દેહ સ્વપ્ન ના જેવો ખોટો છે-એમ જ્ઞાન થવાથી) આકાશમાં જવાને યોગ્ય થાય છે. જેનો "આત્મા" ઘણા વખતના "સંકલ્પ-રૂપ દેહ" વિષે પરિણામ પામેલો (બનેલો) છે,અને જેને તે (દેહ) માં જ "સ્થિતિ" કરવાની ઈચ્છા છે-તે અજ્ઞાની મનુષ્ય નો દેહ શબ થઈને (છેલ્લે) બળી જાય છે. ત્યારે તેને (પણ) પ્રથમ ના "સૂક્ષ્મ દેહ" ની પ્રાપ્તિ થાય છે---તો પછી--- જ્ઞાનવાન અને વાસના વિનાના યોગીને,અત્યંત બોધ થવાથી,જીવિત દશામાં જ-અવશ્ય થનારો તે"સૂક્ષ્મ દેહ" પ્રાપ્ત થાય જ.(એમાં શું નવાઈ?) "હું સંકલ્પાત્મા છું અને સ્થૂળઆત્મા નથી" એવી સ્મૃતિ ઉત્પન્ન થાય છે-ત્યારે બોધ થવાથી યોગીનો દેહ, સ્વેચ્છા-વિહાર (પોતાની ઈચ્છા પ્રમાણે વિહાર) કરવાને યોગ્ય થાય છે. ત્યારે દોરીમાં સર્પ ની ભ્રાંતિ ની પેઠે-આ દેહ વગેરે બધું ભ્રાંતિ રૂપ જણાય છે,-અને એ ભ્રાંતિ (દેહ) નો નાશ થવાથી શું નાશ પામ્યું?ને તે (દેહ) ની ઉત્પત્તિ થવાથી શું ઉત્પન્ન થયું? રામ બોલ્યા-હે,પ્રભુ,શબ ની પાસે રહેલી (નવી) લીલા ત્યાં આવેલી લીલાદેવી ને જોઈ શકતીનથી,પણ જો ત્યાં રહેલાં માણસો તેને જુએ તો તેઓ શું સમજે? વશિષ્ઠ કહે છે કે-જો ત્યાં રહેલા માણસો તે લીલાને જુએ તો એમ સમજે કે-આ દુઃખી રાણી આ ઠેકાણે રહેલી છે અને આ તેની કોઈ સખી બીજે ઠેકાણેથી આવેલી છે. પણ તે કોણ છે? ક્યાંથી આવી છે? એવો તેમના મનમાં સંદેહ થતો નથી,કારણકે વિચાર-રહિત મનુષ્ય, અવિવેકી પશુ ની પેઠે,પ્રથમ જોયેલા પદાર્થ ને અનુસરીને જ વ્યવહાર કરે છે. જેવી રીતે ભૂખરો પથ્થર (પોચો પથ્થર) ઝાડ પર પછાડવાથી -તે ઝાડને કાપ્યા વગર જ ભૂકો થઇ જાય છે, તેમ ગાડરિયા પ્રવાહ વાળા અજ્ઞાની મનુષ્યો પણ કંઈ વિચાર કરતા નથી. સ્વપ્ન માં જોયેલું શરીર અસત્ય હોવાથી,જાગ્રત-અવસ્થા થયા પછી તે સ્વપ્ન નું શરીર ક્યાં જાય છે તેની ખબર પડતી નથી,તેમ જ્ઞાનનો ઉદય થવાથી આધિ-ભૌતિક દેહનો ક્યાં નાશ થાય તેની ખબર પડતી નથી. રામ કહે છે કે-હે ભગવન,તો પછી-સ્વપ્ન નું શરીર જાગ્રત અવસ્થા થયા પછી ક્યાં જાય છે? વશિષ્ઠ કહે છે કે-પવન થી થયેલ સ્ફુરણા -પવન મટ્યા પછી (બંધ થયા પછી) જેમ પવન માં જ લય પામે છે, તેમ સ્વપ્નમાં તેમ જ સંકલ્પમાં જોયેલા પર્વત-વગેરે પદાર્થો -જીવ ના જ્ઞાન માં જ લય પામી જાય છે. જેમ,વાયુ નું સ્ફુરણ-પણું (વાયુ નું વાવું) સ્ફુરણા-રહિત (સ્થિર) વાયુમાં પ્રવેશ કરે છે, તેમ,સ્વપ્ન ના પદાર્થ સંવિત (સત્ય) ના "મળ-રૂપ" અજ્ઞાન માં પ્રવેશ કરે છે. 153 આ પ્રમાણે કોઈ સમયે-કર્મવશ થી સંવિત (સત્ય) જ સ્વપ્નના પદાર્થ-રૂપે પ્રકાશે છે.અને સ્વપ્ન દૂર થયા પછી તે-એકત્વ-પણા ને પામી જાય છે. દ્રવ્ય (પ્રવાહી) અને પાણી -એ બે જુદાં નથી તેમ વાયુ અને સ્ફુરણ (પવન) એ જુદા નથી.અને તે જ પ્રમાણે સંવિત (સત્ય) અને સ્વપ્નના અર્થ એ બે જુદા નથી.
SR No.008125
Book TitleYog Vaasishtha Part 01
Original Sutra AuthorN/A
AuthorAnil Pravinbhai Shukla
PublisherAnil Pravinbhai Shukla
Publication Year2014
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Other
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy