SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ સ્યાદ્વાદ ૭૧ ૩. ૨૩૧ માણસ જ્યારે મન-વચન-કાયા દ્વારા કોઈ કાર્ય કરી રહ્યો હોય ત્યારે જ તેને તે તે નામથી ઓળખી શકાય એમ એવંભૂત નય માને છે. સેવા કરતો હોય ત્યાં સુધી જ કોઈને સેવક કહી શકાય, પછી નહિ. ૭૧૪, ૧પ. ૪૦. સ્યાદ્વાદ તથા સપ્તભંગીસૂત્રો કોઈપણ કથન એક નયથી થતું હોય કે સર્વ નયોને સમાવનારા. પ્રમાણથી થતું હોય, તેમાં અન્ય નયોની અપેક્ષા ગર્ભિત કે સ્પષ્ટ રૂપમાં હોય ત્યાં સુધી જ તે સાપેક્ષ કથન રહે છે, અન્યથા તે નિરપેક્ષ અને એકાંત બની જાય છે. કોઈપણ કથનમાં એકાંત અથવા એક જ દૃષ્ટિકોણ ના આવી જાય તે માટે ચાતુ શબ્દસહિત કથન કરવું તે સ્યાદ્વાદ છે. (ચા સંસ્કૃત ભાષાનો શબ્દ છે, તેનો અર્થ છે: “હોઈ શકે. આનાથી વસ્તુના અન્ય પાસાંના અસ્તિત્વનું સૂચન થાય છે. અન્ય અપેક્ષાએ વસ્તુ અન્ય સ્વરૂપે પણ હોઈ શકે છે એવા આશય સાથે કથન કરવું એ સ્યાદ્વાદ છે.) પ્રમાણથી, નયથી કે દુર્નયથી થતાં કથનીનાં દરેકનાં સાત સાત ભંગ(ભદ) થાય છે. “ચા”ના સ્પષ્ટ ઉચ્ચાર સાથે થતું કથન પ્રમાણવાક્ય છે. “ચા”નૉ. પ્રગટ ઉરચાર ન હોય પણ તેની ગર્ભિત ખ્યાલ રાખીને કથન થતું હોય તો તે નાચવાક્ય છે. “ચાત”ના પ્રગટ કે અપ્રગટ સંબંધ વિના કરેલું કથન દુર્નચવાકય ગણાય. એ એકાંતવાદ બની જાય છે અને તેથી દુર્નયનું કથન અસત્ય ઠરે છે. અસ્તિ, નાસ્તિ, અસ્તિ-નાસ્તિ, અવક્તવ્ય, અસ્તિ - અવ્યક્તવ્ય, નાસ્તિ - અવક્તવ્ય, અસ્તિ – નાસ્તિ – અવક્તવ્ય – કોઈ પણ વસ્તુ અંગે આવાં સાત કથન થઈ શકે છે. દરેકની સાથે રશીત શબ્દ જોડીએ તો. તે પૂર્ણ અને શુદ્ધ પ્રમાણ વાક્ય બને. એને સપ્તભંગી કહે ૩૧ ૬. ૭૧ ૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008025
Book TitleSaman suttam Jain Dharmasara
Original Sutra AuthorN/A
AuthorBhuvanchandra
PublisherJain Sahitya Academy
Publication Year1995
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy