SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ મોક્ષ માર્ગ ૩૩૦. ૧૦૫ મુનિઓને શુદ્ધ, નિર્દોષ, દેશકાલની દૃષ્ટિએ ઉચિત એવા અન્ન આદિનું દાન કરવું એ ગૃહસ્થોનું અતિથિસંવિભાગ નામનું વ્રત છે. (ધર્મસાધક કોઈ પણ અતિથિને ભોજન કરાવવું એ પણ અતિથિસંવિભાગ છે.) આહારદાન, ઔષધદાન, શાસ્ત્રદાન અને અભયદાન – એમ ચાર પ્રકારનું દાન શ્રાવકોએ કરવું એવું ઉપાસક અધ્યયનમાં કહેવામાં આવ્યું છે. ૩૩૧ ૩૩ ૨. અન્નદાનથી ગૃહસ્થ ધન્ય બને છે. આ દાનમાં પાત્રઅપાત્રનો વિચાર શા માટે કરવો જોઈએ? ૩૩ ૩ મુનિઓને યોગ્ય એવી વસ્તુનું દાન દેવાનો અવસર ના મળે તો, શાસ્ત્રોક્ત ધર્મનું પાલન કરનારા ઉત્તમ શ્રાવકો તે વસ્તુ પોતે ખાતા નથી. ૩ ૩૪ મુનિઓને દાન આપ્યા પછી વધેલા આહારનું ભોજન કરનારા શ્રાવકો જિન-વચન અનુસાર ભોજન કરનારા કહેવાય આવા શ્રાવકો સંસારના શ્રેષ્ઠ સુખોનો લાભ મેળવી અનુક્રમે મુક્તિના પરમ સુખને પણ માણે છે. ૩૩પ મૃત્યુથી ભયભીત એવા જીવોનું રક્ષણ કરવું એ સર્વ દાનોમા શિરોમણિ એવું અભયદાન કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008025
Book TitleSaman suttam Jain Dharmasara
Original Sutra AuthorN/A
AuthorBhuvanchandra
PublisherJain Sahitya Academy
Publication Year1995
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy