SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટાવક્ર ગીતા. ટીકા. ચિંતા કરવાથીજ દુ:ખ ઉત્પન્ન થાય છે એવા નિશ્ચયથી જે માણસ ચિંતાના ત્યાગ કરે છે તેને દુ:ખ થતું નથી એટલુંજ નહિ, પરંતુ તે ચિંતાના ત્યાગથી સદાસર્વદા સુખી રહે છે. ચિંતા રાખવી નહિ એમ કહેવાય છે, પરંતુ જ્ઞાનના એ ધર્મ છે કે— ચિંતા કરાવે, ત્યારે શું જ્ઞાન ન લેવું? ના, એમ નહિ. અજ્ઞાની જનને ચિંતા ઉત્પન્નજ થતી નથી એટલે તે સુખી અને સંતાષી રહે છે. અજ્ઞાનથી ચિંતા રહિતપણું હાય તે ચેાગ્ય નથી. એ તા જડ અવસ્થા કહેવાય. એ અવસ્થા ઇચ્છવા ચોગ્ય નથી. સઁસારની અધી ખાખતા સમજવી તેના ગુણાગુણના સાર જાણવા અને પછી તેને જ્ઞાનપૂર્વક ત્યાગ કરવા, એવી ચિંતારહિતતા છે તે જ સુખ અને સંતાષનું મૂળ છે. જેને સાનાની કિમ્મત નથી તે અને બાળક સેાના માટે ચિંતારહિત રહે, એમાં કંઇ વિશેષતા નથી, પર ંતુ જેને સેાનાની કિમ્મત છે તે જ્યારે સમજથી સાના માટે ચિંતા ન કરે ત્યારેજ તે જ્ઞાની કહેવાય. ભાગવિલાસનું ભાન કે રસ ને આસ્વાદ રહિત– અજ્ઞાની તેને ત્યાગ કરે તે કંઇ મહત્વનું નથી, પરંતુ જેને તેનું ભાન અને આસ્વાદ સમજાયેલા છે અથવા જાણે છે, તે જ્યારે તેના ત્યાગ કરે ત્યારે તે જ્ઞાની કહેવાય. સુખદુ:ખની સ્પૃહા ન રાખતાં જે પુસ્ત આવી મળેલી વસ્તુમાં સંતુષ્ટ રહે છે, તે તેમ છતાં ત્યાગી કહેવાય છે. ८० नाहं देहो न मे देहो, बोधोहमिति निश्चयी । कैवल्यमिव संप्राप्तो न स्मरत्यकृतं कृतम् ॥ ६ ॥ અર્થ. હું દેહ નથી, દેહ મારો નથી, હું તે આધરૂપ છું, એવા નિશ્ચયવાળા પુરુષ કૈવલ્યને પ્રાપ્ત કરી કૃત કે અકૃત કાને સંભારતાજ નથી. ટીકા. હું આ દેહરૂપ નથી અને આ દે છે તે મારા પણ નથી. હું તેા કૈવલ્યને પ્રાપ્ત થયેલા મેધસ્વરૂપ છું, એવા નિશ્ચય જેને
SR No.007796
Book TitleAshtavakra Gita
Original Sutra AuthorN/A
Author
PublisherHaribhai Dalpatram Patel
Publication Year1929
Total Pages161
LanguageGujarati
ClassificationInterfaith & Interfaith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy