SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૫ મે. कृत्वा मूर्तिपारज्ञानं चैतन्यस्य न किं गुरुः । निर्वेदसमतायुक्त्या यस्तारयति संसृतेः ॥ ६ ॥ ૧ અર્થ. વૈરાગ્ય, સમતા, અને યુક્તિદ્વારા ચૈતન્યની મૂર્તિના જ્ઞાનને જાણી જે પુરુષ સંસારથી પેાતાના ઉદ્ધાર કરે છે, તે શું ગુરુ ન કહેવાય ? જ્ઞાનીને ગુરુએ ન જોઇએ. ટીકા. અષ્ટાવક્ર∞ કહે છે કે હે જનક ! આત્મજ્ઞાનને માટે ઉપદેશ કરનાર સદ્ગુરુ જોઇએ, એ વાત ખરી, પરંતુ ઉપદેશ પછી મનન, નિદિધ્યાસન વગેરે કરતાં જેને વૈરાગ્ય વ્યાપી પ્રચ મિથ્યા ભાસે છે, અને બ્રહ્માકાર ચિત્ત થઇ જાય છે, તેને ગુરુ જેવા ભેનું પૂ. પ્રયેાજન રહેતું નથી. ગુરુ અને શિષ્ય એ દ્વંદ્ર આત્માકારતામાં ભેદ બતાવનાર છે, માટે જેને જ્ઞાન થયું છે તે જ પાતે પાતાના ગુરુ છે અને ગુરુની પણ જરૂર નથી. તમે તેવા જ્ઞાનને પ્રાપ્ત થયા છે એટલે તમને પણ ગુરુની જરૂર રહેલી નથી. पश्य भूतविकारांस्त्वं भूतमात्रान् यथार्थतः । तत्क्षणाद्धनिर्मुक्तः स्वरूपस्थो भविष्यसि ॥ ७ ॥ અર્થ. હું જનક ! ભૂતવિકારોને તું ખરાખર ભૂતમાત્ર જોઈશ, તે જ ક્ષણે બંધમુક્ત થઈ સ્વસ્વરૂપમાં આવી જઈશ. ટીકા. પચમહાભૂતના વિકારારૂપ દેહ અને ક્રિયા વગેરે છે તે, જ્યારે દેહ ઈંદ્રિયરૂપ નહિ પરંતુ ભૂત રૂપે એટલે જુદાં જુદાં સમજાય છે, ત્યારે તરતજ પુરુષ સ્વરૂપસ્થ થઈ જાય છે. ભૂતના વિકારરૂપ જગત છે અને જગત અસત્ય છે, એવું સમજતાંજ આત્મજ્ઞાન થઇ પરમાનંદ સ્વરૂપ પ્રાપ્ત થાય છે. હું જનક ! તારાં જે દેહાદિક છે તેને તું ભૂતમાત્ર જોઇ સ્વરૂપસ્થ થા.
SR No.007796
Book TitleAshtavakra Gita
Original Sutra AuthorN/A
Author
PublisherHaribhai Dalpatram Patel
Publication Year1929
Total Pages161
LanguageGujarati
ClassificationInterfaith & Interfaith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy