SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૧ ) કહેતા હતા. તે સાડાનવ પર્વને જાણનાર હતા. તેના તપ, વેગ અને ધ્યાન વિગેરે જોઈને પરમગુરૂ આ જ છે એમ વિદ્વાને પણ કહેતા હતા. આ મહિમગુપ્ત સૂરિના શાસનમાં મિથિલા નગરીને રાજા ઇદ્રધુમ્ન નામે સુદર્શન રાજને પુત્ર હતા. તેણે મહિમગુણાચાર્યની પાસે. શ્રાવકધર્મને સ્વીકાર કર્યો હતે. શત્રુરૂપી હસ્તીઓને નાશ કરવામાં સિંહસમાન તે રાજા સર્વ પૃથ્વીને ભેગવતે હતે. તે જાણતું હતું કે –“કુલટા સ્ત્રીની જેમ જે પૃથ્વી નવા નવા રાજાઓ ઉપર રંજીત થાય છે, તેવી અન્ય અન્ય ઉપર આસક્તિ રાખનારી પૃથ્વી ઉપર સપુરૂષને રાગ શાનેજ હોય ?” ભેજરાજાના પુત્રને મુંજ રાજા મારી નાંખવા તૈયાર થયે હતું, ત્યારે તે બુદ્ધિમાને મુંજરાજા ઉપર એક બ્લેક લખી મેક હતું, તેને અર્થ આ પ્રમાણે હતે.– “માંધાતા નામને રાજા કે જે કૃતયુગમાં અલંકાર રૂપ હતું તે પણ પૃથ્વી મૂકીને ચાલ્યા ગયે છે, જેણે સમુદ્રમાં સેતુ બાં હતા તે રાવણનો નાશ કરનાર રામચંદ્ર પણ ક્યાં છે? અને થત ગયા છે, બીજા પણ યુધિષ્ઠિર વિગેરે અત્યાર સુધીના રાજાઓ પણ પૃથ્વી મૂકીને ચાલ્યા ગયા છે, તેમાંના કોઈની સાથે પૃથ્વી ગઈ નથી, પરંતુ હું માનું છું કે હે મુંજ ! તારી સાથે ખરેખર પૃથ્વી આવશે.” આ પ્રમાણે વિચારીને ઈદ્રધુમ્ન રાજા મહિમાચાર્યને સેવક, શ્રાવકધર્મને પાળનાર, સર્વ શ્રાવકને આધાર, દ્રવ્યસ્તવના રસમાં આસક્ત, ચેત્યોનો ઉદ્ધાર કરનાર, માક્ષસ્થાનની અભિલાષાવાળો, દેશવિરતિવાળો, સદા ધાર્મિક અને સ્વધર્મના રસની લાલસાવાળો થયે. બીજા રાજાઓથી સેવાને તે રાજા જિનધર્મનું દાન કરી સર્વ પ્રજાઓને પિતાની સંતતિની જેમ પાલન કરતે હતે. તે ગુણરૂપી રત્નના સમૂહને સમુદ્ર
SR No.007258
Book TitleUpdesh Kalpvalli Bhashantar
Original Sutra AuthorN/A
AuthorIndrahans Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy