SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ર ચાર ગતિનાં કારણે બેટી પણ વાતને આગ્રહ ધરનારાને માટે શું કહેવાય? એવાઓ જે શ્રી જિનાગમને વળગીને વિચાર કરે અને શ્રી જિના ગમના કથન દ્વારા નિર્ણય કરે, તે સાચી માન્યતાને પામી જાય ને? પણ શ્રી જિનાગમની વાત તમે કહો અને એની સામે જે એ પોતાના કુલાચારને જ આગ્રહ સેવે, તે શું મનાય? જે વસ્તુની શ્રદ્ધા બેસી ગઈ, તેમાં કઈ સમજાવવા માગે તે પણ સમજવાને અવકાશ ન હોય, તે શું કહેવાય? સમજવાની શક્તિ ન હોય તે ગીતાર્થને શેધવા જોઈએ, પણ આગ્રહ તે નહિ રાખવું જોઈએ ને? અને સમજવાની શક્તિવાળાએ તે, સમજવાની જે તક મળે, તેને જતી નહિ કરવી જોઈએ ને? આ તસ્વાર્થ ભગવાન શ્રી જિનેશ્વરદેવેએ કહે છે અને ભગવાન શ્રી જિનેશ્વરદે કદી પણ ખેટું કહે નહિ, એવી સમજથી પિતે માનેલા અર્થને જૈનો આગ્રહ સેવે છે. એમાં, આ તત્વાર્થ ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ કહેલું નથી–એમ કઈ કહે, તે શ્રી જિનાગમ મૌજૂદ છે. એને પ્રમાણે રાખીને વાત કરે. જેનામાં એવી શક્તિ ન હેય, તે ગીતાર્થ ગુરૂની નિશ્રાને શોધીને સ્વીકારે. તમે શામાં છે? તુંગીયા નગરીના શ્રાવકે ઈન્દ્રોથી પણ છળ્યા છળાય નહિ એવા હતા. જીવાજીવાદિ તો એમને એ બેધ હતે કે-ઈતર દર્શનવાળાની સાથે પણ તેઓ ધર્મવાદ કરી શકે. જેમનામાં એ શક્તિ ન હોય, તે સામાને ગીતાર્થની પાસે લઈ આવે; પણ જે અજ્ઞાનેય હેય અને ગીતાર્થનિશ્રિત પણ ન હોય, તેનું શું થાય? તત્ત્વજ્ઞાન, એ સમ્યકત્વની પ્રાપ્તિનું સાધન છે : તના સ્વરૂપનું જ્ઞાન, એય સમ્યફવને પામવાનું સાધન
SR No.007254
Book TitleChar Gatina Karno Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy