SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ બીજો ભાગ ૧૫ ધર્મ હોય તે દુર્ગતિ થાય નહિ! એવાની પણ દુર્ગતિ ન થાય, તે તમે તે આટલી ધર્મક્રિયા કરે છે, એટલે તમારી દુર્ગતિ તો થાય જ શાની? પણ તમારે એટલી ખાત્રી આપવી પડે કે–“અમારું હૈયું ધર્મથી રંગાયેલું છે! અધર્મને આ ચરીએ છીએ ત્યારે પણ હૈયાને અધર્મથી લેપાવા દેતા નથી. નહિ કરવા લાયક કામ અમે સગવશાત કરીએ છીએ, પણ એવી સ્થિતિમાંથી ક્યારે છૂટાય, એમ થયા જ કરે છે!” જીવવાને ઇચ્છે તે શા માટે ? ' સુતી વખતે તમે એવી ખાત્રીપૂર્વક સુએ છે ને કે જે કદાચ આ પથારીમાંથી હવે હું ઉઠી શકું નહિ અને રાતે રાત મરી જાઉં, તે પણ મને એને ભય નથી!” તમે બધા મરણથી ડરનારા નથી, એમ ને? કેમ કે–તમને ખાત્રી છે કે-જમ્યા તે મરવાના; હું જમ્યો છું માટે હું પણ મરવાને પણ અહીં આવ્યો છું એવી રીતિએ, કે જેમાં મેં અહીંથી મર્યા બાદ મને આગળ સારૂં જ સ્થાન મળે, એવી તૈયારી કરી લીધી છે! સ0 એવી તૈયારીવાળે પણ ભરણથી બચવાને અને જીવતા રહેવાનો પ્રયત્ન કરે કે નહિ? મરણની આવી તૈયારીવાળે, મરણને જાણી જોઈને ભેટે, એ વાત નથી. મરણ આવી પડે તે મુંઝાય નહિ અને સમાધિપૂર્વક મરે, એની વાત છે. અહીં હમણાં સપનીકળી આવે, તે એ કરડે નહિ–એ માટે અમે પણ ખસી જઈએ. સર્ષથી બચવા પ્રયત્ન સાધુ પણ કરે. કેમ? જીવીશું તો ધર્મ કરીશું, એમ માને છે! વળી, એમ કરવામાં સમાધિ
SR No.007254
Book TitleChar Gatina Karno Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy