SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ બીજો ભાગ પણ સંભવ નહિ, એવું પણ જ્ઞાનિઓએ જોયું; એથી પણ જ્ઞાનિઓએ સંસારને અસાર કહીને, સંસારથી છૂટવાના અને મેક્ષને પામવાના ઉપાયને દર્શાવ્યું. આ ઉપાય સાંભળવાનું તે આપણને અહીં અનાયાસે જ મળી ગયું છે ને? સંસારથી ઉદ્વેગ જન્મ્યા હતા, એથી મોક્ષની ઈચ્છા જન્મી હતી અને મોક્ષને મેળવવા માટેના ઉપાયની શોધમાં આપણે પડ્યા હતા, એવું કાંઈ આપણે માટે તે કહેવાય તેમ નથી ને ? પણ, હવે જે આપણે પુરુષાર્થ નહિ કરીએ, તે આપણું થશે શું? આપણે પુણે આપણને કે સુન્દર યુગ સાધી આપે છે? છેક મોક્ષના ઉપાયની નિકટમાં લાવી મૂક્યા છે. હવે આપણે પુરુષાર્થ કરવાનું રહે છે. સંસાર અસાર લાગે અને મોક્ષને મેળવવાની તાલાવેલી જાગે, એટલે ઉપાય તે આપણા હાથમાં છે. મોક્ષના ઉપાયને સેવવાને માટે પણ પુરૂષાર્થ કરે પડશે, પરંતુ એ પુરૂષાર્થ, જ્યાં સુધી સંસાર અસાર નહિ લાગે ત્યાં સુધી, સાચા પ્રકારે થઈ શકશે નહિ. અહીંથી જવાનું છે–એ નકકી છે: આપણે સુખ જોઈએ છે અને દુખ નથી જોઈતું, એ વાતમાં તે આપણે સુનિશ્ચિત છીએ. આપણે એ પણ જાણીએ છીએ કે-દુઃખને કાઢવાની અને સુખને મેળવવાની મહેનત પણ આપણે જ કરવી પડશે. જે ઈચ્છા માત્રથી દુઃખ જાય અને સુખ મળે–એવું બનતું હોત, ધાર્યું થતું હોત, તે સૌ સુખી હેત : કેઈ જ દુઃખી હેત નહિ કારણ કે-કેઈને ય દુઃખ નથી જોઈતું અને સુખ સૌને જોઈએ છે. આ સંસારમાં સુખી કેટલા અને દુઃખી કેટલા? સંસારમાં સુખ કવચિત
SR No.007254
Book TitleChar Gatina Karno Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy