SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ २२१ ચાર ગતિનાં કારણે અનન્તાએ મેળવેલી સિદ્ધિ : આવી જ ઈચ્છા અને આવી જ મહેનત, અત્યાર સુધીમાં અનન્તા આત્માઓએ કરી છે. અત્યાર સુધીમાં અનન્તા આત્માઓ એવા થઈ ગયા, કે જે આત્માઓએ પિતાની સઘળી ય ઈચ્છાઓને, એક માત્ર એક્ષપર્યાયને પ્રગટાવવાની ઈચ્છામાં જ કેન્દ્રિત કરી દીધી; એમ કરીને, એક માત્ર એક્ષપર્યાયને પ્રગટ કરવાને માટે જ પ્રયત્ન આરંભી દીધે; એમ પ્રયત્ન કરીને, પિતાના કષા અને ઈન્દ્રિય ઉપર વિજય મેળવ્યું, કષાયે અને ઇન્દ્રિ ઉપર વિજય મેળવવા દ્વારા, પિતાના સંસારપર્યાયને છેદી નાખ્યો; અને, એ રીતિએ કષાથી અને ઈન્દ્રિયેથી સર્વથા રહિત બનીને, પોતાના મોક્ષપર્યાયને પ્રગ ટાવ્યો. એવા સઘળા ય આત્માઓને, આપણે, રોજ અને રોજ પણ અનેક વાર “નમો સિદ્ધાણં” એવા પદના ઉચ્ચારણ દ્વારા નમસ્કાર કરીએ છીએ. એ બધા ય આત્માઓ, એવી દશાને પામતાં પહેલાં, આપણું જેમ જ આ સંસારમાં પરિભ્રમણ કરતા હતા. અનન્તાનન્ત કાલ પર્યન્ત, એ આત્માઓએ પણ, આ સંસારમાં પરિભ્રમણ કરેલું છે. એમ સંસારમાં પરિભ્રમણ કરતાં કરતાં, એ આત્માઓને એમના પિતાના પુણ્યના ઉદયથી મનુષ્યભવ આદિ સામગ્રી મળી. એમાં, સદુગુરૂને સુગ થઈ ગયે. સગુરૂએ જે ઉપદેશ આપે, તે એમને એમની લઘુકમિતા આદિના ગે રૂચે અને એથી એમણે પુરૂષાર્થ આદર્યો, તે ક્રમે કરીને એ આત્માઓ સિદ્ધાવસ્થાને પામ્યા અને હાલ એ આત્માઓ અનન્ત સુખમાં વિલસે છે તથા અનન્તાનન્ત કાલ પર્યત હવે તે એ
SR No.007254
Book TitleChar Gatina Karno Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy