SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ ચાર ગતિનાં કારણે લાગે નહિ, એની કાળજી રાખવાનું તે કહેવાય ને? પેલે પંડિત, ચેરી કરવાને નીકળ્યું હતું, તે ય પોતાની દયાભાવનાને આંચ આવે નહિ-એની કાળજી રાખે છે અને તમે વેપાર કરતાં ય એટલી કાળજી રાખે કે નહિ ? તમારામાં કોઈ, એ પંડિત જે દુઃખી તે નથી જ, પણ એ પંડિત જેવા હૈયાવાળા તમારામાં કેટલા છે? તમે તે તમારે જ વિચાર કરો કે-“હું એવું છું કે નહિ?” ખાલી બીજાની પંચાતમાં પડવું નહિ. અહીં તમે સાંભળવાને આવે છે, તે તે તમારે માટે આવે છે કે બીજાઓને માટે? ઉપદેશ લેવા આવે છે કે ઉપદેશ દેતાં શીખવા આવે છે? પિતાને માટે નહી સાંભળનારા અને પારકાને માટે સાંભળનારાને તે, સારામાં સારે ઉપદેશ પણ, પ્રાયઃ કશી જ સારી અસર કરનાર નીવડે નહિ. પેલે પંડિત કથા લીધા વિના જ ચાલી નીકળે આગળ. પંડિતે ત્યાં જ નકકી કરી લીધું કે “કઈ પણ ગરીબને ઘેર તે ચોરી કરવી જ નહિ. ચેરી કઈ એવા શ્રીમંતને ત્યાં કરવી, કે જેથી એને એની કઈ ચીજ જાય તે ય દુઃખ થાય નહિ. મારે કાંઈ બહુ મૂલ્યવાન ચીજ જોઈએ છે–એવું નથી; અને શ્રીમંત માણસને ત્યાં તે ઘણી ઋદ્ધિ હોય, એટલે એને ત્યાં ચોરી કરી હોય, તે એને કશો વાંધો આવે નહિ અને મારું કામ થઈ જાય.” કે માણસ છે આ? નીકળે છે શું કરવાને ? ચેરી કરવાને ! છતાં વિચાર કે કરે છે? સર આવાઓને તે આજે વેદીયા કહેવાય છે વિવેકી આત્માઓને વેદીયા કહેનારાએ કેવા પાપાસક્ત
SR No.007254
Book TitleChar Gatina Karno Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy