SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ બીજો ભાગ ૧૬૭ બેટા. કલ્યાણના અથી જીવોએ તે, એ જ વિચાર કરે જોઈએ કે–ભગવાન શ્રી જિનેશ્વરદેવે એવા હતા, કે જેઓ કદી પણ કાંઈ એય ખોટું કહે જ નહિ. જેઓને રાગ નહિ, દ્વેષ નહિ, મેહ નહિ; જે વીતરાગ અને સર્વજ્ઞ એ તારકેનું વચન કદી પણ મિચ્યા હોઈ શકે નહિ! પણ, માનમાં અતિશય જકડાઈ ગયેલાઓ, આ વાતને વિસરી જાય છે. “ક્યાં હું અલ્પજ્ઞાની અને કયાં એ અનન્તજ્ઞાની?”—એ વાતને ભૂલી જઈને, અનન્તજ્ઞાનિના વચનની પ્રમાણિકતાને વિષે સંશયને જ સેગ્યા કરે; અથવા તે, “એ તારકનું વચન ખોટું છે – એવું માનવાની મૂર્ખાઈ કરે, તે એ માન કષાયને જે-તે પ્રભાવ છે? મહા સમર્થો પણ, આ માન કષાયને અતિ આધીન બની જતાં, પટકાઈ જાય છે, અને એવા પાપને ઉપાર્જનારા પણ બની જાય એ સંભવિત છે, કે જે પાપના યેગે તેઓ ઘણું લાંબા કાળને માટે પણ સંસારમાં ભટકનારા છે છે અને જયને અતિ બની જાય બની જાય. અનાગ મિથ્યાત્વ: - પાંચમું મિથ્યાત્વ, અનાગ નામનું છે. આ વિષયમાં આપણે કહી આવ્યા છીએ કે–સાક્ષાત્ પણ તત્વની અપ્રતિપત્તિ અને પરંપરાએ પણ તત્વની અપ્રતિપત્તિ, એને અનાગ મિથ્યાત્વ કહેવાય છે. એકેન્દ્રિય આદિ જેને જે મિથ્યાત્વ હોય છે, તેને અનાગ મિથ્યાત્વ કહેવાય છે. પંચેન્દ્રિય જીમાં પણ જેએ મુગ્ધ હોય, એટલે કે-“તત્વ શું અને અતત્વ શુ–એવા પ્રકારના અધ્યવસાયથી રહિત હોય, તેવા અને જે મિથ્યાત્વ હોય છે, તે તેને અનાગ મિથ્યાત્વ કહેવાય છે. .
SR No.007254
Book TitleChar Gatina Karno Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy