SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ ચાર ગતિનાં કારણેા ય નહાતી અને નફ્ફટાઈ પણ નહાતી, જ્યારે પેલા પરિત્રાજકમાં તા, અપ્રમાણિકતા પણ હતી અને નફફટાઇ પણ હતી. હારવા છતાં પણ હાર કબૂલ કરવાની તૈયારી નહિ અને ઉપરથી ઉપદ્રવ કરવાની તૈયારી, એ જેવી તેવી અપ્રમાણિકતા અને નફ્ફટાઇ છે ? પરિવ્રાજક યારે વાઢમાં ટકી શકયો નથી, ત્યારે તેણે રાહગુપ્તને પરાજિત કરવાને માટે વીંછી આદિના ઉપદ્રવ કર્યો છે. બીજી વાત એ છે કે-જેમ શ્રી સિદ્ધસેને આચાર્ય ભગવાન શ્રીમદ્ વૃદ્ધ વાદી સૂરિજી મહારાજાની પાસે, તેઓશ્રીની સાથે વાદ કરવાની માગણી કરી હતી, તેમ એ પરિવ્રાજકે પણ જો શ્રીગુપ્ત નામના એ આચાર્ય ભગવાનની પાસે વાદ્યની માગણી કરી હોત, તે એ આચાર્ય ભગવાન, શ્રી જૈન સિદ્ધાન્તની લઘુતા ન થાય, એ માટે જરૂર લાગત તેા એવા પણ વાદિની સાથે વાદમાં ઉતરત. ‘ વાદી અપ્રમાણિકતા અને નફ્ફટાઈ આચરે એવા છે. ’-એવું જાણવા છતાં ય, સિદ્ધાન્તની લઘુતા ન થાય—એ વગેરે કારણે એવાની જોડેય મહાપુરૂષોને વાદમાં ઉતરવું પડે, એ શકય છે. આપણે જોઈ આવ્યા કે-જે આચાય મહારાજ એ પરિવ્રાજકની સાથે વાદમાં ઉતરવાને ઈચ્છતા નહાતા અને રોહગુપ્ત મુનિ પણ એની સાથે વાદમાં ઉતરે તે સારૂ નહિ–એમ માનતા હતા; તે જ આચાર્ય મહારાજે, જ્યારે જોયું કે–‘ આ રાહગુપ્ત મુનિ વાદ કરવાને માટે ગયા વિના રહેવાને નથી અને વાદ કરવા જશે તેા પેલેા ઉપદ્રવ કર્યા વિના રહેવાના નથી; વળી, એ ઉપદ્રવમાં આ ટકી શકશે નહિ અને આ જે એ ઉપદ્રવમાં નિહ ટકી શકે, તેા પિરણામે શ્રી જૈન શાસનની અપભ્રાજના થશે.’–ત્યારે એમણે શું કર્યુ”? પોતાને ગેરવ્યાજબી લાગે છે—એવું પણ કૃત્ય કરવાને તૈયાર થઈ ગયેલા
SR No.007254
Book TitleChar Gatina Karno Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy