SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ८८ ચાર ગતિનાં કારણો હતા, એટલે મે એને આ પથરી આપ્યા નહિ. મારે રૂપીઆથી આછે આપવાના નથી. ’ પેલાએ તરત જ ગજવામાંથી દશ રૂપીઆ કાઢવા અને રખારીને આપ્યા, એટલે રખારીએ તેા ખૂશ ખૂશ થઈ જઈને, પોતાની પાસેના પથરા, કે જે મણિ હતા, એ તેને આપી દીધા. બન્ને ખૂશ થઈ ગયા. પેલા મિણુ લઈને રવાના થઈ ગયા અને રખારી ઉતાવળા ઘેર ગયા. ઘરમાં આજે નસીબ પાકી ગયું—એવા સમાચાર આવ્યાં. પેલા લેણદાર વાણિયા વિચાર કરે છે કે-‘ રબારી પાસે મણિ છે, એ લઈ તેા લેવો જ જોઈ એ. ’ પણ પાછે એને વિચાર આવે છે કે- એમ તે કાંઇ આને દેવામાંથી છૂટા કરી દેવાય ?’ એટલે, એ વાણિયા કાંઈક વધારે આપવાને તૈયાર થાય છે, પણ આખા રૂપીઓ આપવાને તા નહિ જ. એ વાણિયા ગામમાં ફરીને રબારીને ઘરે આવે છે. એને કહે છે કે- જો, આઠ આનાને બદલે એ આના વધારે એટલે દશ આના માંડી વાળીશ, માટે પેલા પથરે લાવ !’ ખારી કહે છે કે- જા, જા, દેશ આના માંડી વાળવાવાળા! તારે મને છેતરવો હતા ને ? મને તેા એક શેઠે એના દશ રૂપીઆ આપ્યા ! લે તારા રૂપીઓ!' એમ કહીને રબારીએ એની સામે એક રૂપીઓ ફ્કચો ! હવે વાણિયા કહે છે કે– અલ્યા, તું બહુ છેતરાઈ ગયા. એ પથરા નહોતા, પણ મણ હતા, મણિ ! એની તે અહુ 'મત ઉપજે ! ' રબારી કહે છે કે- છેતરાયે તું કે હું ? એ મણિ હોય
SR No.007254
Book TitleChar Gatina Karno Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy