SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલા ભાગ ૨૧૧ કરવી હોય અને મારી પૂજાનું ફૂલ જો મારે મેળવવું હોય, તે મારે મારી શક્તિ મુજખ પણુ, મારા ખર્ચે જ મેળવેલી સામગ્રીથી, ભગવાનની પૂજા કરવી જોઈ એ.’ શાસ્ત્રમાં અભયંકર નામના શેઠના એ નાકરાની કથા આવે છે. એ ક્થા તા મહુ લાંખી છે, પણ એની શરૂઆતના ભાગ આ વિચારણામાં બહુ ઉપયોગી છે. અભયંકર શેઠ જેવા સુખી હતા, તેવા જ ધર્મનિષ્ઠ હતા. એમને ત્યાં એ નાકરા હતા. એક નાકર ઘરના કામકાજને માટે રાખેલેા હતા અને એક નાકર ગાયાને ચરવાને લઈ જવાને માટે રાખેલા હતા. એ બન્ને નાકરે જોતા કે-આપણા શેઠ સુખી છે અને રાજ પૂજા–દાન આદિ ધર્મને પણ આચરે છે.’ બન્ને નાકરા ભદ્રક પ્રકૃતિના હેાવાથી, એ અન્દેયના હૈયા ઉપર, શેઠની ધર્મકરણીની સારી છાપ પડયે જતી હતી. બીજાની ધર્મકરણીની પણ સારી છાપ તેના જ હૈયામાં પડે છે, કે જેનામાં કાંઇક પણ ચેાગ્યતા હાય. લાયક આત્માએ જ, સારી ચીજને પણ સારી નજરે જોઈ શકે છે. નાલાયકા તે સારાં કામ કરે નહિ અને સારાં કામ કરનારની નિન્દાઢિ કરવા દ્વારા પાપ બાંધે. જેનું મિથ્યાત્વ જોરદાર હેાય, તે સારાની સારી કરણીને પણ, સારી કરણી તરીકે જોઈ શકે નહિ. અનુમેદનામાં પણ ધર્મ કહ્યો છે, તે અમથા નથી કહ્યો. અનુમેાદના કરવાને માટે ય, હૈયાની લાયકાત જોઇએ છે. જે ચીજ ગમે નહિ, તેની અનુમાદના સાચા ભાવે થાય શી રીતિએ ? અને સાચા ભાવે અનુમાઇના કરનારા, તક મળે તેા, એ ચીજ પેાતે કર્યાં અને કરાવ્યા વિના પણ રહે શાના ?
SR No.007253
Book TitleChar Gatina Karno Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy