SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ ચાર ગતિનાં કારણા સુખમાં જીવવાને ખપ હાય, એટલે પછી જીવવાને માટે એ જે કાંઇ જરૂરી લાગે તે કરતા હોય. અવસર આવી લાગે તા, એ મહાપાપે ય કરે. આ માટે, આપણે એવા વિચાર કરવાના છે કે આપણે આ મનુષ્યભવમાં જન્મી ગયા છીએ એ નક્કી છે અને અત્યાર સુધી જીવ્યા છીએ એટલે જીવવાને માટે આપણે અત્યાર સુધીમાં શું શું કર્યું છે, તે આપણે તા જાણીએ જ છીએ; અણસમજુ મટવા અને કાંઈક સમજી થયા, ત્યારથી આપણે આપણી ઈચ્છાનુસાર જીવવાને માટે શું શું કર્યું છે, તે આપણી જાણ બહાર તા નથી ને ? તેમાં, આપણા હાથે જે કાંઈ ખાટું થઈ ગયું હોય અને હજી પણ થતું હોય, તેનું આપણને દુઃખ ખરૂં કે નહિ ? એનું દુઃખ પણ ન હોય, તે સુધરવાના ઉપાય નથી. એનું દુ:ખ હૈયે હાય, તેા જ સુધરવાના ઉપાય છે. આપણે જન્મ્યા ને આટલાં વર્ષાં જીવ્યા, એ જીવવાને માટે જે પાપા કર્યાં અને જે પાપા કરવાં પડતાં હોય, તેનું દુઃખ થતું હોય અગર તેા સમજાવવામાં આવે તે હૈયે દુઃખ પેદા થવાની યાગ્યતા હોય, તે જ આપણને ઉપકારિઓ મચાવી શકે તેમ છે. જન્મ તરીકે મનુષ્યજન્મનાં વખાણ થયાં નથી : જ્ઞાનિએએ જન્મને દુઃખ રૂપ કહ્યો છે, છતાં પણુ મનુષ્યજન્મનાં વખાણ કર્યાં છે; તેા જન્મને દુઃખ રૂપ કહેનારા જ્ઞાનિએએ, મનુષ્યજન્મનાં વખાણ કેમ કર્યો* ? જ્ઞાનિએ મનુષ્યજન્મનાં જે વખાણ કર્યાં છે, તેના હેતુને સમજીએ નહિ, તા સારી વસ્તુ પામવા છતાં પણુ, એના ચેાગે મળવા જોઇતા લાભ, આપણે મેળવી શકીએ નહિ અને આવી સામગ્રી
SR No.007253
Book TitleChar Gatina Karno Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy