SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૧ પહેલા ભાગ અને આ લેવાનું મન થયું છે, તેનું કારણ શું ?' મનતી દરેક રીતિએ, ખાત્રી કરી લેવી પડે કે-આના હૈયામાં કેવા ભાવ પેદા થયા છે, કે જેથી એ સંસારથી વિમુખ બનાવીને ધર્મસન્મુખ બનાવનારી ક્રિયાઓને કરવા તત્પર થયા છે? ધર્મને લેવા આવેલા કાણુ છે, કયાંના છે, એ વગેરે જાણ્યા પછી, એને પૂછાય કે-શા માટે ધર્મ જોઇએ છે?” જો એ એમ કહે કે—મને આ સંસારમાં ભટકવું ગમતું નથી, મારે સંસારથી નિસ્તાર પામવા છે, માટે હું આ ધર્મ કરવા આવ્યો છું’ તા એ લાયક ગણાય. એ પછી, એણે કહેલી વાત સાચી છે કે નહિ, એની પણ પરીક્ષા કરાય; પણ એ જો એમ જ કહે કે-આ ધર્મ કરવાથી ભેગસુખ, માનપાનાદિ સારાં મળે છે, માટે ધર્મ કરવા આવ્યે હું’–તા એ લાયક ગણાય નહિ. એને લાયક બનાવવાના પ્રયત્ન થાય. એને સમજાવાય કે— આ ધર્મ જ તેને માટે છે, કે જેને સંસારથી છૂટવું હાય.’ મુગ્ધાને માર્ગે ચઢાવવાને માટે, બાળકને પતાસું આપીને ય પાઠશાળાએ જતા કરાય છે, તેમ પણ ગીતાર્થા ધર્માચરણને માર્ગે દોરે; કેમ કે-મુગ્ધાને વિપરીત હેતુના આગ્રહ હોતા નથી. સમજના અભાવે જ તે જીવા પૌલિક આશય રાખે છે, પણ પૌદ્ગલિક આશયના તેમને આગ્રહ હોતા નથી. જેને પૌલિક આશયના આગ્રહ હોય, તે તેા આ ધર્મને માટે નાલાયક જ છે. આશયની શુદ્ધિ પણ જોઈ એ અને વ્રતપાલનની દૃઢતા પણ જોઈ એ. આ ધર્મની આરાધનાથી જેમ અસાધારણ લાભ થાય છે, તેમ આ ધર્મની વિરાધનાથી નુકશાન પણ અસાધારણ થાય છે. ધર્મના સ્વીકાર નહિ કરવામાં જે નુકશાન છે, તેથી કેઇ ગુણું નુકશાન, ધર્મના સ્વીકર કરીને ધર્મની
SR No.007253
Book TitleChar Gatina Karno Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy