SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ 23 જુઓ ! બાળકુમારની ચુસ્તતા અને દઢ મનોબળ !! - કુમાર શશીકાંતની સ્વતંત્ર વિચારધારા તથા અનુભવ પ્રધાનતાના દર્શન પણ અત્ર કરવા પડ તે યોગ્ય છે. ૧૪ વર્ષની ઉંમર છે, યુગપુરુષ પૂ. ગુરુદેવશ્રી કાનજીસ્વામી જેવા મહાપ્રતાપી સપુરુષ છે. રાણપુરમાં પધાર્યા છે. કુમાર શશીકાંતને આત્મકલ્યાણકારી મંગળ પ્રવચનો સાંભળવાની ઉત્કંઠા પર હાં થાય છે અને પ્રવચન સાંભળવા જાય છે. પ્રવચનમાં પૂ. ગુરુદેવશ્રી ફરમાવી રહ્યાં છે, જુઓ ! . આત્મામાં જ્ઞાન સ્વયં થઈ રહ્યું છે. આ જ્ઞાન વાણીથી ઉત્પન્ન થતું નથી કે ગુરુથી પણ ઉત્પન્ન થS હન થતું નથી. આપમેળે જ ઉત્પન્ન થયા કરે છે. આ વાત જ સાંભળતી વખતે જુઓ શબ્દનો પ્રયોગ થયો હોવાથી, હા કુમાર શશીકાંત અંદર જુએ છે અને તેને પણ એમ લાગે (ા છે કે ખરેખર, મારું જ્ઞાન પણ સ્વયં સહજ ઉત્પન્ન થઈ હી રહ્યું છે. જુઓ ! પૂર્વ સંસ્કારને કારણે અનુભવ પદ્ધતિ જા કેવી રીતે જાગૃત થાય છે ! આવા આવા અનેક સગુણો sી ધરાવનાર કુમાર યોવન અવસ્થામાં પ્રવેશ કરે છે. | (૨) યુવાવસ્થા : - અસાધારણ બુદ્ધિમત્તાને કારણે ખૂબ-ખૂબ ભણવાના તો વિચારો આવે છે અને એફ. આર. સી. એસ. (લંડન) બાળકુમાર શશીકાંત ૌ ડૉક્ટર થવાની બળવાન મહત્ત્વાકાંક્ષા સેવાય છે. પરંતુ ઉમર વર્ષ - ૧૪) હો પ્રારબ્ધ કંઈક જુદુ જ હોવાને કારણે અને કુટુંબની આર્થિક જે પરિસ્થિતિ અત્યંત નબળી હોવાને કારણે યુવાવયમાં પ્રવેશ થતાં મેટ્રિકનો અભ્યાસ પૂર્ણ કરી એ હા પિતાજીના વ્યવસાયમાં જોડાવું પડે છે. તેની કાર્યકુશળતા, બુદ્ધિમત્તા અને પ્રમાણિકતા જોઈને , થ તેમના એક સ્નેહીએ મુંબઈ જેવા મોટા ક્ષેત્રમાં જવાની પ્રેરણા આપી અને મુંબઈમાં એક વર્ષ પણ મોટા કમિશન એજન્ટને ત્યાં નોકરીએ રહી જાય છે. ( આ અરસામાં મુંબઈમાં નોકરી દરમ્યાન વિરમગામના શ્રી દોશી કીરચંદ લક્ષ્મીચંદના DN પણ પુત્રી, ચંદ્રાવતી સાથે સગપણ થયું. આ દિવસોમાં જ પાંડુરંગ શાસ્ત્રીજીને સાંભળવાનો પ્રસંગ છે " પણ થાય છે અને તત્ત્વજ્ઞાન સંબંધીનો રસ જાગૃત થયો. મહાત્મા નિશ્ચલદાસજી કૃત શ્રી * વિચારસાગર ગ્રંથ વાંચવાનું બન્યું. આ વાંચનથી તત્ત્વવિચાર તથા મંથન તીવ્રતાથી ચાલવા , લાગ્યું. આવી અંતરંગ પરિસ્થિતિમાં સમ્યકજ્ઞાનને અનુસરતો એક દૃષ્ટિકોણ સાધ્ય કરવાનો - અભિપ્રાય થાય છે કે કોઈપણ પ્રસંગે મારી તે પરિસ્થિતિ અંગેનો નિર્ણય યથાર્થ પ્રકારે ( લેવાય તેવો દૃષ્ટિકોણ મારે પ્રાપ્ત કરવો જોઈએ આ વિષય ઉપર નિરંતર ચિંતન તથા મંથન
SR No.007191
Book TitleAnubhav Sanjivani
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year1999
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy