SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૬ રાજહૃદય ભાગ-૧૩ તો એમાં આત્માની જ વાત લીધી છે. સાંખ્યમત જે છે એમાં આત્માના સ્વરૂપની વાત લીધી છે. એમાં અધ્યાત્મનો વિશેષ લીધો છે. વીતરાગભાવ લીધો છે. મનોકામના જેની છૂટી જાય છે અને આત્માથી આત્મામાં સંતુષ્ટ થાય છે એને સ્થિતપ્રજ્ઞ અમે કહીએ છીએ. એ બધી વાત લીધી છે. શું કહે છે ? કે “સર્વ પ્રકારના રાગદ્વેષનો અભાવ થયે અત્યંત શુદ્ધ જ્ઞાન સ્થિતિ પ્રગટવા યોગ્ય છે, તે સ્થિતિમાં જે કંઈ જાણી શકાય તે કેવળજ્ઞાની છે; અને તે સંદેહ યોગ્ય નથી. અને જ્યારે રાગ-દ્વેષનો સંપૂર્ણ ક્ષય થઈ જાય અને શુદ્ધ જ્ઞાન સ્થિતિમાં જેટલું કાંઈ પ્રગટપણે જાણી શકાય અને એવી સ્થિતિ પ્રગટે તો એમાં કાંઈ શંકા કરવા જેવી નથી. નિર્મળતાને લઈને લોકાલોકનું પ્રતિબિંબ એમાં ઝળકે તો એમાં કાંઈ શંકા કરવા જેવી નથી. શ્રી ડુંગર કેવળ-કોટી' કહે છે તે પણ મહાવીર સ્વામી સમીપે વર્તતા. આજ્ઞાવર્તી પાંચસે કેવલી જેવા પ્રસંગમાં સંભવિત છે. જેને ડુંગર કેવળકોટી કહે છે એ કોઈ “મહાવીરસ્વામીના આજ્ઞાવર્તી પાંચસો શિષ્યો સંબંધમાં વાત કરી છે તો એ વાત કાંઈક સંભવિત છે. એ કાંઈક કોઈક ચર્ચાનો પ્રસંગ ચાલ્યો છે. જગતના જ્ઞાનનો લક્ષ મૂકી શુદ્ધ આત્મજ્ઞાન તે કેવળજ્ઞાન' છે, એમ વિચારતાં આત્મદશા વિશેષપણું ભજે.' આ પરમાર્થ છે. લોકાલોકને જાણે એમાં સીધો પરમાર્થ નથી. પણ જગતના જ્ઞાનનો લક્ષ છોડીને, લોકાલોકને જાણવાનો લક્ષ છોડી દઈને શુદ્ધ આત્મજ્ઞાન તે કેવળજ્ઞાન છે અથવા જેની અંદર શુદ્ધ આત્મજ્ઞાન, અત્યંત શુદ્ધ સ્થિતિ જ્ઞાનની છે અને સ્વરૂપસમાધિ છે કે રાગ-દ્વેષનો ક્ષય થયો છે એ કેવળજ્ઞાન છે. એમ વિચારતા આત્મદશા વિશેષપણું ભજે છે. એવું વિચારતાં એ આત્મદશા-આત્માને આત્મા તરફ વળવાની જે દશા છે એ દશાને એ વાત વધારે અનુકૂળ છે. એટલે કેવળજ્ઞાનનું જે અંતરંગ છે એ કેવળજ્ઞાનના અંતરંગને મુખ્યપણે વિચારતા આત્મદશાને એ વધારે વિશેષપણું થવામાં લાભકારી છે. કેવળજ્ઞાનનું બહિરંગ વિચારતા એટલો કોઈ મતલબ સરતો નથી. ફક્ત એટલો દૃષ્ટિકોણ વિચારી શકાય કે આવું શુદ્ધ જ્ઞાન ક્યારે થાય કે જેમાં કયાંય અશુદ્ધિ ન હોય અને લોકાલોક અંદર પ્રતિબિંબિત થઈ જાય ? કે રાગ-દ્વેષનો ક્ષય થાય ત્યારે, જરા પણ રાગ-દ્વેષ ન રહે ત્યારે. એટલા પૂરતો પરમાર્થ લાગુ થાય. એ પ્રમાણે આ પ્રશ્નના સમાધાનનો સંક્ષેપ આશય છે.” એ પ્રમાણે આ
SR No.007188
Book TitleRaj Hriday Part 13
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy