SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮ રાજહૃદય ભાગ-૧૩ આત્મજાગૃતિમાં (લાવી ન શકે). જેમ કોઈ માણસ સૂતો હોય ને ચોંટિયો ભરી લે. એકદમ જાગી જાય. એમ એની વાણી એવી છે કે સૂતાને જગાડી દે છે. જુઓ ! ભાઈ ! તારું આત્મહિત સાધ, આત્મહિત સાધ. તું મનુષ્ય આયુમાં કાં આમનેઆમ હાલ્યો જા છો ? જેનું મૂલ્ય રત્નચિંતામણી કરતા પણ અધિક છે એવું આ મનુષ્ય આયુ છે એમાં આત્મજાગૃતિ કાં નહિ ? તારો આત્મા કેવો છે એ જોવા માટે જરા જાગ.... જરા જાગ... જાગી જા, સાવધાન થઈ જા. આયુષ્ય ખોવા જેવું નથી. એવો જે Undertone છે એ જ્ઞાનીની વાણીમાં જ આવે છે. જે પોતે જાગ્યો નથી એ બીજાને જગાડવામાં કેવી રીતે સમજે કે કેમ જગાડી શકાય ? પોતે જાગ્યો નથી એ બીજાને જગાડવામાં કેવી રીતે સમજી શકે કે તું આમ જાગ. એટલે એવું જે આત્માને સતત જાગૃત કરનાર હોય છે.’ જોયું ? જાગૃત કરનારમાં પણ સતત જાગૃત ક૨ના૨ છે. એવી પોતાની જાગૃતિ અનુભવસહિત વર્તે છે. તેથી એ વાણીની અંદર એ પ્રકા૨નો રણકાર આવ્યા વિના રહેતો નથી. શુષ્કજ્ઞાનીની વાણીમાં તથારૂપ ગુણો હોતા નથી;...' એ પ્રકારના ગુણો શુષ્કજ્ઞાનીની વાણીમાં હોતા નથી. ભાષા હોય છે પણ એ પ્રકારના ગુણ હોતા નથી. ‘સર્વથી ઉત્કૃષ્ટ ગુણ જે પૂર્વાપર અવિરોધપણું...' એ ચારેયમાં, પાંચેયમાં સર્વથી ઉત્કૃષ્ટ લીધું છે. એ સમજાવવાની દૃષ્ટિએ લીધું છે. આમ તો જે અપૂર્વતા છે, સતત જાગૃતિ છે એનું મૂલ્ય ઘણું છે. પૂર્વાપર વિરોધ ધર્મો પણ અવિરોધપણે પદાર્થમાં રહેલા છે એ પદાર્થના વિજ્ઞાનમાં જાય છે. અને એ પદાર્થનું વિજ્ઞાન છે એ પદાર્થ દર્શનને કા૨ણે એમાં એની મુખ્યતા લીધી છે. એમાં જે આત્મજાગૃતિ અને જે અપૂર્વપણું છે એ વાત પણ કાંઈ ઓછી મૂલ્યવાળી નથી. સર્વથી ઉત્કૃષ્ટ ગુણ જે પૂર્વાપર અવિરોધપણું તે શુષ્કશાનીની વાણીને વિષે વર્તવા યોગ્ય નથી....' એ એટલા માટે લીધું છે કે શુષ્કજ્ઞાનીની વાણી બીજી રીતે તને નહિ પરખાય તો આ રીતે તો પરખાય જ જશે. ક્યાંક તો એ પોતાની વાતને પોતે કાપશે. એ વાત જે પોતે કહેવા માગશે એ જ વાતની વિરુદ્ધ વાત આવ્યા વગર એને રહેશે નહિ. અને એ બંને વિષયમાં અવિરોધપણું કેવી રીતે છે એનું એને અજ્ઞાન વર્તતું હશે. એટલે અહીંયાં બીજાને સમજાવવાનો વિષય છે તો એ મુદ્દાને ઉત્કૃષ્ટ અથવા મુખ્ય ગણીને કહેવા પાછળ હેતુ છે. અને તેથી ઠામઠામ કલ્પનાથી યુક્ત તેની વાણી હોય છે. પૂર્વાપર અવિરોધપણું તે શુષ્કજ્ઞાનીની વાણીને વિષે વર્તવા યોગ્ય નથી, કેમકે
SR No.007188
Book TitleRaj Hriday Part 13
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy