SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ રાજહૃદય ભાગ-૧૩ ૬૭૭મો પત્ર છે. શ્રી કુંવરજી, આણંદજી, ભાવનગ૨’ભાવનગર’ના શ્વેતાંબર સંપ્રદાયના ધાર્મિક ક્ષેત્રના એક ગૃહસ્થ છે. દાણાપીઠમાં એની પેઢી હતી. ૫૨માણંદ કુંવરજી’. ૨૭૨ મુમુક્ષુ :– પરમાણંદ કુંવરજી’... પૂજ્ય ભાઈશ્રી :– હા. પરમાણંદ કુંવરજી કાપડિયા”. “પરમાણંદ તારાચંદ'વાળા નહિ. એ બીજા. આ પરમાણંદ કુંવરજી'. બરાબર છે. ‘કાગળ પહોંચ્યો છે.’ એટલે એમના વંશજો અહીંયાં અત્યારે છે પણ એ લોકોનું ધ્યાન નથી કે અમારા વડવાઓ સાથે આ જાતનો પત્રવ્યવહાર છે. ‘કાગળ પહોંચ્યો છે. સામાન્યપણે વર્તતી ચિત્તવૃત્તિઓ લખી તે વાંચી છે.’ ‘કુંવરજીભાઈ’ પોતાના ચિત્તમાં કેવી કેવી જાતની વૃત્તિઓ ઉત્પન્ન થતી હતી એ વૃત્તિઓ લખતા હતા. એમનો એક કાગળ વાંચવા મળેલો. મુમુક્ષુઓના જે કાગળ વાંચ્યા એમાં ‘કુંવરજીભાઈ'નો જે કાગળ વાંચ્યો હતો એ ઉપરથી એવું લાગે કે એ જીવે ઘણી સરળતાથી પોતાની વૃત્તિમાં ઉત્પન્ન થતા દોષોનું નિવેદન કર્યું છે. એમ કે મારા આત્માને હજી (આવા દોષિત ભાવો થાય છે). નહિતર બહારમાં એમની બહુ ધાર્મિક પ્રતિષ્ઠા હતી. એમના સમાજમાં એક ધાર્મિક વ્યક્તિ તરીકે પ્રતિષ્ઠાસંપન્ન ગૃહસ્થ હતા. છતાં જીવને અનેક જાતની દોષિત વૃત્તિઓ થાય છે. એ મનના પિરણામ એમણે ‘કૃપાળુદેવ’ની સામે નિવેદન કર્યાં છે. ઉંમરમાં પોતે મોટા છે. આ તો નાની ઉંમરમાં છે. ૨૯ વર્ષની ઉંમર એટલે બધા લગભગ એમનાથી તો મોટાભાગના જે સંપર્કમાં આવ્યા છે એ ઉંમરમાં મોટા છે પણ પોતાના મનના પરિણામો ખુલ્લા કરીને એમને લખ્યા છે. બહુ સરળતાથી લખ્યા છે. નવાઈ લાગે કે આવા પરિણામ પણ એમને નિવેદન કરનારા મુમુક્ષુઓ એ જમાનામાં હતા કે આજે એમાંથી અંશ ગોતવો મુશ્કેલ પડે. એવા સ૨ળ પરિણામી જીવ કોઈ હતા. એમની સાથે અનેક પત્રોથી એમને પત્રવ્યવહાર ચાલ્યો છે. એમણે ઉલ્લેખ કર્યો છે કે, ‘કાગળ પહોંચ્યો છે. સામાન્યપણે વર્તતી ચિત્તવૃત્તિઓ લખી તે વાંચી છે.’ એટલે તમારી ચિત્તવૃત્તિઓ તમે જે સામાન્યપણે લખી તે વાંચી છે. હજી તો સામાન્યપણે છે એનું વિશેષણ માંગ્યું. વિશેષપણે નથી લખ્યું. વિસ્તારથી હિતવચન લખવાની જિજ્ઞાસા જણાવી...' પોતાના દોષનું નિવેદન કરીને એમ લખે છે કે મારું હિત થાય અને મારા દોષ ટળે એવું કાંઈક હવે મને લખો તમે. મારી આ જિજ્ઞાસા છે. એટલા માટે હું મારા દોષનું વર્ણન કરું છું કે
SR No.007188
Book TitleRaj Hriday Part 13
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy