SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રાંક-૬ ૭૩ ૨૪૩ વિચારભેદો ઉત્પન્ન થવાની સંભાવના ઘણી રહે છે. અને એ પરિસ્થિતિ આજે સ્પષ્ટ જોવામાં આવે છે. એમને તો પહેલેથી જ Queue માં મૂકી દીધા છે. લલ્લુજી જેવાને Lineમાં મૂકી દીધા છે. જો યથાર્થજ્ઞાન ઉત્પન્ન થયું નથી. તો જે પ્રકારે જીવોમાં વૈરાગ્ય ઉત્પન્ન થાય, ઉપશમ ઉત્પન્ન થાય અને ભક્તિનો લક્ષ થાય તે પ્રકારે પ્રસંગ પ્રાપ્ત....” જે જે જીવો પ્રસંગે ઉપદેશ સાંભળવા આવતા હોય એવા જીવોને ઉપદેશ આપવો ઘટે. આ પ્રકારે તમારે મુખ્યપણે ઉપદેશ આપવો. સિદ્ધાંતની ચર્ચામાં આ તબક્કે તમારે જવા યોગ્ય નથી. એમ સ્પષ્ટ વાત છે. “અને જે પ્રકારે તેને નાના પ્રકારના અસદ્ આગ્રહનો. અને જે તે સંપ્રદાયમાં રહેલા જીવોને આગ્રહ થઈ ગયા હોય, કદાગ્રહ થઈ ગયા હોય, અસઆગ્રહ થઈ ગયા હોય. આમ તો હોવું જોઈએ, પહેલા આમ તો એને કરવું જ જોઈએ, જેન હોય એને પહેલા આટલું તો હોવું જોઈએ, આમ તો એને થવું જ જોઈએ એમ કરીને જે આગ્રહમાં આવી ગયા હોય એવા “અસત્ આગ્રહનો તથા કેવળ વેષવ્યવહારાદિનો અભિનિવેશ ઘટે.” અને સંપ્રદાયની જે રૂઢી, રીવાજ, વેષ, વ્યવહાર. સંપ્રદાયના વેષ અને સંપ્રદાયના વ્યવહાર, એનો અભિનિવેશ ઘટે, એનું અહંપણું ઘટે, એનો આગ્રહ ઘટે, એનો અભિનિવેશ ઘટે તે પ્રકારે એને ઉપદેશ પરિણામી થાય. એવા જીવોને તે તે પ્રકારનો ઉપદેશ એના આત્મામાં સ્થાન પામે. તેમ આત્માર્થ વિચારી કહેવું ઘટે. તે પણ કેવી રીતે ? મુખ્ય લક્ષ આ છે. આત્મહિત કેમ થાય ? અર્થ એટલે પ્રયોજન. હિત થવાનું પ્રયોજન છે. એટલે જે કોઈ પ્રસંગે સાંભળવા આવે એ પ્રસંગ પ્રાપ્ત જીવોને ફક્ત એનું આત્મકલ્યાણ કેવી રીતે થાય ? એની મુખ્યતાથી વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિનો ઉપદેશ અત્યારે તમારે આપવો. એથી આગળ તમારે જાવું નહિ. જુઓ ! ભલે લલ્લુજીને લખ્યું છે પણ યથાર્થ જ્ઞાન ઉત્પન્ન થયા પહેલા જે જીવોને કોઈને પણ બીજાને કહેવાનો પ્રસંગ હોય, ઉપદેશકપણું એટલે શું ? એમ નહિ કે ભાઈ ! વાંચનકાર છે માટે બધા સાંભળવા આવે છે એમ નહિ. ભલે પાંચ જણા પૂછવા આવતા હોય અને પોતે ઉત્તર દેનારો હોય. વાંચન ન કરતો હોય. પણ પાંચ-પચ્ચીસ એને પૂછવા આવે, એ પૂછવા જાય એવી પરિસ્થિતિ સમાજમાં ન હોય. એને લોકો પૂછવા આવે તો લોકો એનો કાંઈક આધાર પકડે છે ને? ભાઈ ! આ કાંઈક સમજદાર છે અથવા અધ્યયનવાળા છે, આણે જાણ્યું છે, આ કાંઈક
SR No.007188
Book TitleRaj Hriday Part 13
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy