SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ રાજય ભાગ-૧૩ સિદ્ધાંતિક રીતે સિદ્ધાંતશાસ્ત્રમાં તો દેશનાલબ્ધિનો સિદ્ધાંત જ છે કે કોઈ જીવને સત્પુરુષની દેશના ન મળી હોય અને આત્મજ્ઞાન થયું હોય એવો તો એક Case પણ છે જ નહિ. એ તો સિદ્ધાંત પારિણામિક ભાવે છે. અને આવ્યેથી...' એટલે સમ્યક્ પ્રતીતિ (આવ્યેથી). મુમુક્ષુ :- Proper channel... પૂજ્ય ભાઈશ્રી :- Proper channel છે. બહુ Full & nal વાત કરી નાખી છે. તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યપ્રતીતિ આવ્યા વિના સત્સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, અને આવ્યેથી અવશ્ય તે મુમુક્ષુ જેનાં ચરણારવિંદ . તેણે સેવ્યાં છે, તેની દાને...’ એટલે જ્ઞાનીની દશાને એ પામે છે.' જો એને સભ્યપ્રતીતિ એટલે ઓળખાણથી વિશ્વાસ આવે. એકવાર પણ ઓળખાણથી વિશ્વાસ આવે અને એના પ્રત્યે અચળ પ્રેમ થઈ જાય. લૌકિકમાં પણ કહેવાય છે કે નિર્મળ પ્રેમ હોય ત્યાં વચ્ચે Condition નથી હોતી. શરતી પ્રેમ નથી થતો. એમાં કોઈ શ૨ત જ નથી હોતી. એમાં સમર્પણની જ ભાવના હોય છે. એમાં ઉંચ-નીચ નથી હોતું. સરખા Level ના હોય. મિત્રો-મિત્રો વચ્ચે હોય, પતિ-પત્ની વચ્ચે હોય, ભાઈ-ભાઈ વચ્ચે હોય, પિતા-પુત્ર વચ્ચે હોય, માતા-પુત્ર વચ્ચે હોય. ગમે તે હોય. જો ચોખ્ખો નિર્મળ પ્રેમ છે તો શરત નથી હોતી. શરત હોય છે ત્યાં સ્વાર્થ હોય છે, ત્યાં નિર્મળતા હોતી નથી. જ્ઞાનીના ચરણારવિંદ પ્રત્યે જે પ્રેમ હોય છે એ પ્રેમની અંદર તો શરત હોવાનો પ્રશ્ન રહેતો જ નથી. એને જ્યારે એવી સ્થિતિ થાય છે ત્યારે તે અવશ્ય જ્ઞાનદશાને પામે, પામે ને પામે જ. આ માર્ગ સર્વ જ્ઞાનીઓએ સેવ્યો છે,...' ભૂતકાળમાં જે જ્ઞાનીઓ થયા એણે ભૂતકાળમાં આ માર્ગ સેવ્યો છે, વર્તમાનકાળમાં સેવે છે અને ભવિષ્યમાં પણ સેવશે. જ્ઞાનપ્રાપ્તિ એથી અમને થઈ હતી...' ભૂતકાળમાં આ જ પ્રકારે અમને જ્ઞાનપ્રાપ્તિ થઈ હતી. વર્તમાને એ જ માર્ગથી થાય છે અને અનાગત કાળે પણ જ્ઞાનપ્રાપ્તિનો એ જ માર્ગ છે.’ ભવિષ્યકાળે પણ એ જ માર્ગ છે, વર્તમાનમાં એ જ માર્ગ છે, ભૂતકાળે તો અમારો પુરાવો છે. સર્વ શાસ્ત્રોનો બોધ લક્ષ...' જુઓ ! સર્વ શાસ્ત્રોમાં ઉપદેશ છે ને ? એનો લક્ષ શું છે કે ? બધેં કહીને એ કેન્દ્રસ્થાને કયાં લઈ જવા માગે છે ? કે એ જોવા જઈએ તો હું કહું છું આ જે કહ્યું તે જ વાત છે. બધા શાસ્ત્રો પણ પોકારી પોકારીને
SR No.007188
Book TitleRaj Hriday Part 13
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy