SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ સામ્યશતક શ્લોક-૪ स्नाननिर्वाणचेतसाम् । जयताल्लयः || साम्यपीयूषपाथोधि योगिनामात्मसंवेद्यमहिमा અર્થ સમતારૂપી અમૃતના સાગરમાં સ્નાન કરવાથી જેમનાં ચિત્ત શાંત થયાં છે, તેવા યોગીઓનો આત્મજ્ઞાનમાં તન્મય થવારૂપ લય જય પામો; કે જે લયનો મહિમા આત્માનુભવરૂપ છે. ભાવાર્થ ચિત્તશાંતિનો રાજમાર્ગ છે ક્ષણેક્ષણ સમતાભાવમાં રમણતા. રાગ-દ્વેષ-મોહ ઘટાડતાં, વિષય-કષાયમાં અનાસક્ત થતાં સમતા આવિર્ભાવ પામે છે. આ સમતારૂપી સાગરમાં સદૈવ નિમજ્જન કરનાર યોગીઓ આત્મજ્ઞાનમાં લયલીન થાય છે, આત્મામાં એકતા થાય છે. આત્માનુભવ કરાવનાર આ લયલીનતાનો મહિમા અનેરો છે. અનંત શાંતિ બક્ષનાર, પરમાનંદ આપનાર લયલીનતા સદા જયવંત રહો!
SR No.007163
Book TitleSamya Shatak
Original Sutra AuthorN/A
AuthorVijaysinhsuri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2004
Total Pages1320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy