SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધ થઈ જાય છે. આ રીતે શ્રુતજ્ઞાન અને અકારાદિ અક્ષરામાં જે આ ઉત્કૃષ્ટ રૂપે સ દ્રવ્યપર્યાયપ્રમાણતા પ્રગટ કરવામાં આવી છે તે દ્વાદશાંગના પાડીસાત્કૃષ્ટ શ્રુતકેવળીની અપેક્ષાએ જ જાણવી જોઈ એ. કારણ કે ત્યાં જ તે ઉત્કૃષ્ટતા સ ંભવિત હેાય છે. અન્ય જીવાનાં શ્રુતજ્ઞાન આદિમાં નહીં, કારણ કે ત્યાં શ્રુતના અનાદિ ભાવ જઘન્ય કે મધ્યમરૂપે બતાવવામાં આવ્યા છે, ઉત્કૃષ્ટ રૂપે નહીં. શકા—શ્રુતમાં જે અનાદિતા પ્રગટ કરવામાં આવી છે તે સમજાતી નથી. કારણ કે જ્યારે જીવના સર્વોત્કૃષ્ટ શ્રુત જ્ઞાનાવરણના સ્થાનક્રિયા અને નિદ્રરૂપ દનાવરણ ક`ના ઉદય થાય છેત્યારે તે સ્થિતમાં સંપૂર્ણરૂપેશ્રુતનું આવરણ થઈ જાય છે, જેમ અવધિજ્ઞાનવરણીના ઉદ્દયમાં અવધિજ્ઞાનનું આવરણ થઇ જાય છે. તેમ શ્રુતમાં પણ થાય છે. તેથી શ્રુતજ્ઞાન અનાદિ છે એમ કેવી રીતે માની શકાય ! અવધિજ્ઞાન આદિની જેમ તે પણ સાદી જ છે અને આ રીતે તેમાં એ ત્રીજો અને ચાચા ભંગ સંભવિત હોતા નથી. ઉત્તર—સમસ્ત જીવાનું જે શ્રુતજ્ઞાન તથા મતિજ્ઞાન છે, તે સદા પેાતાના અનંતમાં ભાગમાં અનાવૃત જ રહ્યા કરે છે તેથી તેનું આવરણ હેતુ નથી. તેનું તાત્પર્ય એ છે કે શંકાકરનારે જે શ્રુતજ્ઞાનમાં અનાહિતાના આવરણ દશામાં અસદ્ભાવ પ્રગટ કર્યાં છે તેના જવાબ આપતા સૂત્રકાર કહે છે કે આવરણુ દશામાં જો કે અવિધ આદિ જ્ઞાન ખિલકુલ આવૃત થઈ જાય છે પણ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં એવું થતું નથી. તે તે પેાતાની આવૃત્ત દશામાં પણ અન તમાં ભાગમાં સત્તા અનુવૃત્ત રહ્યા કરે છે. મતિજ્ઞાન શ્રુતજ્ઞાનના જે અનેકમા ભાગ છે તે અનેક પ્રકારના બતાવ્યા છે. તેમાં સજઘન્ય જે ભાગ છે તે માત્ર ચૈતન્યરૂપ પડે છે. આ ચૈતન્યરૂપ સજઘન્ય ભાગ સર્વોત્કૃષ્ટ શ્રુતાવરણ, સ્ત્યાદ્ધિ અને નિદ્રાવરણુ કના ઉયમાં પણ આવૃત્ત થતુ નથી, કારણ કે જીવના સ્વભાવ જ એવા છે. જો તે સ્વભાવ પણ આવૃત્ત માનવામાં આવે તે એ દશામાં ચૈતન્યલક્ષણ જીવમાં પેાતાના લક્ષણના પરિત્યાગને કારણે અજીવત્વની પ્રસક્તિ આવશે પણ જીવપદાર્થની એવી સ્થિતિ કદી જોવામાં આવી નથી અને ફાઇને તે ઈષ્ટ પણુ નથી. કારણ કે સમસ્ત જીવાદિ પદાર્થીના પોતપાતાના સ્વભાવને ત્યાગ થવા અસભવિત છે. હવે સૂત્રકાર એજ વિષયને દૃષ્ટાંત દ્વારા સ્પષ્ટકરે છે—જે રીતે ઘાડ વાદળા દ્વારા ચંદ્ર અને સૂર્ય ઢંકાઇ જાય છે. પણ તેમનુ તેજ એકાન્તતઃ ઢંકાતું નથી. નાશ પામતુ નથી કારણ કે તે મેઘપટલેામાં એવી શક્તિ હેાતી નથી કે તે ચંદ્ર સૂર્યના પ્રભાસ્વરૂપ સ્વભાવના સર્વથા નાશ કરી શકે, એજ રીતે ભલે અનંતાનંત જ્ઞાન દનાવરણ ક`પરમાણુએ દ્વારા એક આત્માના પ્રદેશ ઢાંકી દેવાય તે પણ એકાન્તતઃ ચૈતન્ય ભાવના તે અવસ્થામાં અભાવ હાઈ શકતા નથી. આ જે સજઘન્ય ચૈતન્ય માત્ર અવસ્થા છે એજ મતિશ્રુત જ્ઞાનના અનંતમા ભાગ છે. તે કારણે અક્ષરના અનતમા ܓ શ્રી નન્દી સૂત્ર ૨૧૯
SR No.006474
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nandisutra
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy