SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ તે ચિન્હ દેખાતુ હોય ત્યાં સુધી. (૮) પાંચ વર્ણ (રંગ) ની ધ્રૂવર જ્યાં સુધી પડે છે ત્યાં સુધી. (૯) મહિકા—ધુમાડા જેવી ઝાકળ જેવીવાળામાંથી સવારે સૂક્ષ્મ વર્ષા થાય છે તે સમયમાં (૧૦) રજઉદ્યાનમાં—પવનથી આકાશમાં સૂક્ષ્મ ધૂલિપુદ્ગલ સઘનરૂપમાં ઊડતી હોય ત્યારે, જ્યાં સુધી તે ઊડતી હૈાય ત્યાં સુધી. આ પ્રમાણે આકાશનિમિત્ત દશ જાતના અસ્વાધ્યાય છે. ગના તથા વિજળીના અસ્વાધ્યાય આર્દ્રાથી સ્વાતિ નક્ષત્ર સુધીના સમયમાં માનવામાં આવતું નથી. (૧) જ્યાંસુધી હાડકું જોવામાં આવે ત્યાં સુધી અસ્વાધ્યાય છે. આ પ્રકારે જ્યાં સુધી (૨) માંસ (૩) લેાહી (૪) અપવિત્રવસ્તુ (વિષ્ટા આદિ) તથા (૫) ખળતું સ્મશાન દેખાય ત્યાં સુધી અસ્વાધ્યાય જાણવા જોઇએ. (૬) ચન્દ્રગ્રહણ તથા સૂર્ય ગ્રહણના આઠ, ખાર, અથવા સોળ પ્રહર સુધીના અસ્વાધ્યાય થાય છે. તેમાં એ વિવેચન છે કેથેડા ગ્રાસનું ગ્રહણ થાય તા આઠે પ્રહર સુધી, તેનાથી વધારે ગ્રાસનું થાય તે ખાર પ્રહર સુધી અને ખગ્રાસ (સંપૂર્ણ ગ્રાસ) નું થાય તેા સેાળ પ્રહર સુધી અસ્વાધ્યાય જાણવા જોઇએ. (૭) રાજાનું મૃત્યુ થયુ હાય તે જ્યાં સુધી બીજો રાજા સિંહાસનપર આરૂઢ ન થાય ત્યાં સુધી. (૮) જેપ્રદેશમાં જ્યાં સુધી રાજાનું યુદ્ધ ચાલતુ હોય ત્યાં સુધી. (૯) ઉપાશ્રયમાં જ્યાં સુધી મૃતકલેવર પડેલા હાય ત્યાં સુધી. (૧૦) મનુષ્યના મડદાથી એકસા હાથ સુધીના પ્રદેશની અ ંદર, તથા ગાય ભેંસ આદિ પંચેન્દ્રિયના શખથી સાઠ હાથની અંદર સ્વાધ્યાય ન કરવા જોઇએ. અસાડ, ભાદરવા, આસા અને કારતક માસની પુનમે ૪, શ્રાવણ, આસે કારતક અને માગશર માસની વદ એકમે ૮, ચૈત્રી પૂનમે ૯,વૈશાખ વદ એકમે ૧૦, એ દૃશ તિથિઓએ દિવસ કે રાત્રે અસ્વાધ્યાય રહે છે. આ પ્રમાણે દશ અસ્વાધ્યાય છે. (૧) અરધ મુહૂર્ત સાંજે, (ર) અરધ મુહૂર્ત પ્રાત:કાળે, (૩) મધ્યાહને એક મુહૂર્ત, (૪) મધ્યરાત્રિએ એક મુહૂત અસ્વાધ્યાય છે. આ સર્વના સરવાળા કરતાં કુલ ૩૪ ચાત્રીસ અસ્વાધ્યાય થાય છે. કયે વખતે કયા આગમના અસ્વાધ્યાય રાખવા જોઇએ. તે લખે છે:-- અનુયોગકાર વૈવાહિશ તથા નન્દ્રીસૂત્ર ના સ્વાધ્યાય, અસ્વાધ્યાય કાલને છોડીને બીજા સ કાળે કરી શકાય છે. ભાવય સૂત્રને તે સ કાળે સ્વાધ્યાય કરી શકાય છે. જ્ઞાાાંત આદિ અગિઆર અગાના તથા ગૌષતિજ આદિખાર ઉપાંગોના સ્વાધ્યાય રાત્રિએ અને દિવસના પ્રથમ અને છેલ્લા પ્રહરના અર્ધ મુહૂર્ત રૂપ અસ્વાધ્યાય સમય છેાડીને કરવા જોઈએ (સ્૦ ૧૪) પૃથ્વી કાયની રક્ષાના અનેક પ્રકારામાંથી એકનું વર્ણન કરે છે: 4 સત્તરવવ ' ઇત્યાદિ જો ચિત્ત રજથી હાથ પગ ખરડાએલા હાય તે વખતે આસન આદિના ઉપર બેસે તે તે અસમાધિસ્થાનના દોષના ભાગી થાય છે. અહીં એ શંકા થાય છે કે-ઉપર લખેલી ક્રિયાથી અસમાધિ કેવી રીતે થાય છે? જવાબ એ છે કે:- પ્રાણાતિપાતસ્વરૂપ જીવહિંસા, અસમાધિના રૂપમાં પરિણામ પામે છે, આ સૂત્રમાં રજરૂપ પૃથ્વીકાયથી અકાય આદિ પંચકાય નું પણ ગ્રહણ સમજી લેવું જોઇએ. તેથી ષટ્કાયની રક્ષા એ અવશ્ય ક`વ્ય થવાથી તે કાયાની રક્ષા ન થતાં જીવનિકાયની હિંસા થવાથી અસમાધિસ્થાનના દોષ લાગે છે. માટે સમાધિની ઇચ્છા કરવાવાળા મુનિએ છ પ્રકારના જીવાની વિરાધનાથી દૂર રહેવું. (સ્૦ ૧૫) શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૧૩
SR No.006465
Book TitleAgam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages125
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashashrutaskandh
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy