SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ સંસારરૂપી જંગલમાં ચાર ગતિરૂપ માર્ગ જે આદિ રહિત છે તે પણ મુશ્કેલીથી પાર તે પામી શકાય તેમ છે) તેને જલદીથી એ ગે અર્થાત્ તે માર્ગને જલદી પાર પામે અને મોક્ષ પ્રાપ્ત કરે. જુઓ ! શ્રી મહાવીર વદ્ધમાન સ્વામીએ પિતે શાસ્ત્ર દ્વારા વિચાર કરવાને એટલે ધ્યાનને કેટલા બધા વિસ્તારથી ગુણાનુવાદ કર્યો છે! માટે ધ્યાન એટલે વિચાર શક્તિ જ ઉત્તમ છે એવું જાણું ખૂબ ઉપયોગ પૂર્વક જ્ઞાનને વારંવાર ફેરવી જવું જોઈએ. જે જ્ઞાન ફેરવીને પાકું કર્યું અને તેને રસ બરાબર પ્રગમી ગયે તે પછી તેને લાભ બીજાને આપવા માટે ધર્મ કથા કરવી. - ચતુર્થ પત્ર--“ધમ કહા” (ધમ કથા). (). “ધમ કહા' અર્થાત્ ધમકથા (=વ્યાખ્યાન) કરવી. શ્રી ઠાણાંગ સૂત્રમાં ધર્મ કથા ૪ પ્રકારની કહી છે અને તે દરેક પ્રકારના ચાર ચાર ભેદ કરવાથી બધા મળી ૧૬ પ્રકાર થાય છે - (૧). “આખેવણ' અર્થાત્ “આક્ષેપણું–જે બોધ શ્રેતાને સંભળાવવાથી તેની અસર શ્રેતાના મનમાં બરાબર થાય અને તેનું વમન ન થાય એવી રીતે પક્કી ઠસી જાય, રૂચી જાય, પચી જાય તેને આક્ષેપણ ક્યા કહેવી. તેના ૪ ભેદ–-(૧) સાધુના ધર્મ જેવા કે ૫ મહાવ્રત, ૫ સમિતિ, ૩ ગુપ્ત એ ૧૩ ચારિત્ર આદિ કહે, અને જે સાધુ થવા સમર્થ ન હોય તેને માટે શ્રાવકનાં ૧૨ વ્રત આદિ કહે ને યથા શક્તિ ધારણ કરવાની સૂચના કરે, (૨) નિશ્ચય અને વ્યવહારમાં વર્તવાની રીતિ સ્યાદવાદ શૈલીથી કહે એવી રીતે કે નિશ્ચયથી ગણીએ તે જ્ઞાનાદિ ત્રણ રત્નની આરાનાથી અને વ્યવહારથી ગણીએ તે રજોહરણ, મુહપતિ આ સાધુનાં ચિહ્ન અને શુદ્ધ ક્રિયાથી મોક્ષ પમાય છે. નિશ્ચય વિના વ્યવહારની અને વ્યવહાર વિના નિશ્ચયની સિદ્ધિ થવી મુશ્કેલ છે. વ્યવહારમાં શુદ્ધ પ્રવૃત્તિ કરી નિશ્ચયરૂપ સિદ્ધિને ઉપગ રાખવાથી
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy