SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ અડાડી બંને હાથી અને સર ? ઉકઠા દશાવી જયારે પ્રશ્ન પૂછવાની અને જ્ઞાન ગ્રહણ કરવાની ઈચ્છા હોય ત્યારે આસન, અવિનય, માન અને પ્રમાદને છેડી જ્યાં ગુર . મહારાજ વિરાજતા હોય ત્યાં તેમની સન્મુખ નમ્રતાથી જઈ બે ઘુંટણ જમીનને અડાડી તેમજ બંને હાથ જોડી મસ્તકને નમાવી ત્રણ વખત ઉઠ બેસ સાથે નમસ્કાર કરે અને બંને ઘુટણને જમીન સાથે અડાડી બંને હાથ જોડી નમસ્કાર સાથે સમુખ રહી ઉંચી રીતે બહુ માન સૂચક વચનેથી પ્રશ્રનેત્તર કરવા, તેમજ સૂત્ર અર્થ વગેરે પૂછવું, શું ઉત્તર મળે છે તેની આતુરત–ઉત્કંઠા દર્શાવી એકાગ્ર દ્રષ્ટિ તેમની સન્મુખ રાખી તે જે ફરમાવે તે “જી! તહર” એવાં વચન પૂર્વક ગ્રહણ કરવું. જેટલું પિતાને યાદ રહે તે ગ્રહણ કરવું, વધારે લેભ નહિ કરે. એવી રીતે વિનય યુકત પૂછવાથી ગુરૂમહારાજ પિતાના ગુરૂ પાસેથી જેવું જ્ઞાન ધારણ કર્યું હશે તે શીખવશે. | સદગુરૂ પાસેથી જે જ્ઞાન ગ્રહણ કર્યું હોય, તેનું પુનરાવર્તન કરતાં (= ફરી ફેરવી જતાં) કઈ પ્રકારની શંકા ઉત્પન્ન થાય, કઈ શબ્દનું વિસ્મરણ થાય (= ભૂલી જવાય), કેઈને પ્રશ્ન પૂછતાં ઉત્તર મળે ન હોય, ધર્મ દીપાવવાની અને નવી વાત અને બતાવવાની જરૂર હોય ત્યારે પણ પૂર્વોક્ત વિધિથી ગુરૂ મહારાજ સન્મુખ આવીને પૂછે છે. દ્વિતીય પત્ર–“પુચ્છણુ” (પૃચ્છના). (૨) “પુછણુ”–અર્થાત્ પૂછા કરે કે- હે કૃપાળુ? આપે અનુગ્રહથી મને અમુક શીખવ્યું હતું તેમાં આ પ્રકારે સંશય ઉત્પન્ન થાય છે તે હે પૂજ્ય! તેનું નિરાકરણ-નિવારણ કરવા અર્થે આપને તસ્કી દઊં છું તે માફ કરશે અને મને માર્ગ બતાવશોઈત્યાદિ નમ્રતા યુક્ત પિતાના મનની શંકા ખુલે ખુલી ગુરૂજી સસુખ પ્રકાશ કરવી અને ગુરૂ મહારાજ ઉત્તર દે તે એકાગ્રતાથી
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy