SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રષ્ટાંતથી સમજાવે છે. જેમાં મને કોઈ જીવ લાકડીથી, હાડકાથી, મુઠીથી, પત્થરથી, અને કાંકરાથી મારે કુટે, પરિતાપ ઉપજાવે, દુઃખ tઈ અશાતા કરે, ઉગ ઉપજાવે, જીવકાયા જૂદાં કરે, અને શરીર ઉપરથી વાળ તોડે એમ હિંસા કરવાના અનેક ઉપાયથી જેમ મને દુઃખ અને ડર થાય છે તેવી રીતે સર્વે જીવ (= પંચેદિય) ને, સવે ભૂત (= વનસ્પતિ) ને, સર્વે પ્રાણુ ( = બેઇદ્રિ, તેઈદ્ધિ, ચોરેંદ્રિ) ને અને સર્વ સત્વ ( = પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ જે જીવમય છે તે) ને લાકડી, હાડકું, મુઠી વગેરેથી મારે, દુઃખી કરે, પરિતાપ ઉપજાવે, કિલામના આપે, ઉદ્વેગ કરે, યાવત્ જીવકાયા જૂદાં કરે, અરે ! વાળ માત્ર ખેંચી કાઢે, ત્યારે દુખ અને ડર માને છે અને અનુભવે છે. એવું જાણું તમામ પ્રાણી, ભૂત, જીવ અને સર્વને મારવાં નહિ, લાકડીથી લગાવવાં નહિ, બળાત્કાર કે જબરદસ્તી કરી પકડવાં નહિ, અગર તે કે કામમાં જોડવાં નહિ, શારીરિક, માનસિક દુઃખ ઉપજાવી પરિતાપ કે નહિ, કિંચિત્ પણ ઉપદ્રવ કરે નહિ અને જીવ કાયા દાં પણ ન કરવાં. આ ઉપદેશ ગયા કાળમાં જે અનત તીર્થક થઈ ગયા, વર્તમાન કાળમાં જે વિદ્યમાન છે અને આવતા કાળમાં અનંત તીર્થકરે થશે એ સર્વેએ ફરમાવ્યું ને ફરમાવશે. જરાપણ શંકા વિના કહેલ છે કે શારીરિક માનસિક દુઃખ દેવું નહિ. આ દયામય ધર્મ નિશ્ચય છે, નિત્ય છે, અને સનાતન છે. પ્રભુનાં આ વચને પર હમેશાં વિચાર કરે કે બિચારા બધા જ કર્મવશ થઈ દુખસાગરમાં પડયા છે. એ બધાનાં દુઃખ જાણનાર ખેદજ્ઞ શ્રી તીર્થંકર ભગવાને ફરમાન કર્યું છે કે સવ ની દયા પાળે ને તેનું રક્ષણ કરે. ક . . . . ખુદ મહાવીર પ્રભુ પિતાને દાખલે આપીને ફરમાવે છે. ક દીર્ધ દ્રષ્ટિથી મહા દયાળુ એવા શ્રી તીર્થકર ભગવાનનાં વચનો ઉપર પક્ષ દેવાથી જણાશે કે-છકાયના જીવોની હિંસા કરવાથી જેવું
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy