SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યવસાય : ભાગ ૨જો ૫૯ પ્રકારની લાગણીઓને વશ થાય છે. એ જ કારણ હોવું જોઈએ. ૨. જુદા જુદા મનુષ્યોને જુદા પ્રસંગે થતી તમામ લાગણીઓનું એક લિસ્ટ કરીએ, તો લાગણીઓ અનેક પ્રકારની જાણવામાં આવશે. હા, એ પણ આપનું કહેવું બરાબર છે. સમજાય તેવું છે. લાગણીઓને અધ્યવસાય કહેવામાં હ૨કત નથી. હાલ આપણે સામાન્ય રીતે એ પ્રમાણે સમજીને ચાલીએ. ૩. જેમ લાગણી જુદી જુદી જાતની હોય છે, તેમ અધ્યવસાય પણ જુદા જુદા હોય છે. એક જાતના અધ્યવસાયોના સમૂહને તથા એક જ ક્રોધ કે હર્ષની લાગણી અમુક વખત સુધી ઓછા વધતા પ્રમાણમાં ચાલુ રહે છે, ક્રોધમાં વધઘટ થાય છે, તેથી તે આખી સળંગ લાગણી ક્રોધની કહેવાય છે. તેવી દરેક લાગણીને અધ્યવસાયસ્થાનક કહેવામાં આવે છે. જેમ લાગણીઓ કેટલીક હલકા અને સારા પ્રકારની હોય છે તેમ અધ્યવસાયસ્થાનકો પણ બે પ્રકારનાં હોય છે : શુભ અધ્યવસાય સ્થાનકો અને અશુભ અધ્યવસાયસ્થાનકો. કેટલીક લાગણીઓ—ચિંતા, વિચાર, ભય, હસવું, રોવું, શોક કરવો, પસ્તાવો કરવો, ઉશ્કેરાઈ જવું, ક્રોધ કરવો. અભિમાન કરવું, જુસ્સો, પ્રેમ, ખુશી થવું, સ્પર્ધા કરવી, મશગૂલ બનવું, ઇષ્ટ મેળવવા તલપાપડ થવું, અનિષ્ટ મળતાં નારાજ થવું, છળ, પ્રપંચ, કપટ વિશ્વાસ, ધીરજ, શૌર્ય, દૃઢ આગ્રહ, હઠ, નમ્રતા, સ્ત્રીપુરુષનાં આકર્ષણો, દયા, મૂર્છા વહેમ . વગેરે અનેક જાતની લાગણીઓ આપણને જુદે જુદે પ્રસંગે થાય છે. ૫. આ રીતે લાગણીઓ અનેક છે, તે એકેકના પણ પ્રસંગ, મનુષ્ય સ્વભાવ વગેરેને લીધે, ઘણા પ્રકારો થઈ જાય છે. જેમકે શાંતસ્વભાવી માણસની હઠ, ક્રોધ, ઉશ્કેરણી વગેરે લાગણીઓ કરતાં, ઉદ્ધત માણસમાં, તે વધારે આકરી હોય છે. તેમાં વળી, કોઈ વધારે શાન્ત માણસમાં ઘણી જ ઓછી હોય છે, તેવી જ રીતે, કોઈ વધારે ઉદ્ધૃતમાં
SR No.006185
Book TitleKarm Vichar
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherShrutratnakar
Publication Year2016
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy