SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ ૧૪મો અધ્યવસાય : ભાગ રજો અધ્યવસાયસ્થાનકો લાગણીઓની તરતમતા-અધ્યવસાયસ્થાનકો] બસ, ચાલો હવે વાત કરતાં બહુ વખત ગયો. આપણો વિષય આગળ ચલાવીએ. જો કે વાતમાં કેટલીક વખત ગયો છે, છતાં એ વાત આપણને આજના વિષયમાં ઉપયોગી થાય તેમ છે. વિદ્યાર્થી બંધુઓ ! ચંદ્રકુમાર સાઇકલ મેળવવાની આશામાં, ને સાઇકલ મળી ગયા પછીના હર્ષાવેશમાં ખુશી ખુશી થઈ ગયા હશે ખરું કે નહીં ? હા, જી ! ખરેખર એમ જ. વિભુ સાઇકલ લઈ ગયો, સાઇકલ તોડી નાંખી, આ વગેરે પ્રસંગે ચંદ્રકુમારની દશા કેવી થઈ ગઈ હશે? સાહેબ ! તે હકીકત ચંદ્રકુમારે આપણને હમણાં જ સંભળાવી. તે ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે, તે વખતે ચંદ્રકુમાર ઘણા જ નારાજ થઈ ગયેલા હતા. વિભુ ઉપર તેને સંપૂર્ણ ક્રોધ ચડેલો હતો. એકંદર પિત્તો ઊછળેલો હતો. અને મગજ ઉશ્કેરાઈ ગયેલું હતું. એમાં શક નથી. આમ થવાનું કારણ ? ૧. આપે જ શીખવ્યું છે કે, “દરેક મનુષ્યમાં આત્મા છે, અને આત્મામાં લાગણીઓ હુરે છે,” તેથી સંજોગોને લીધે મનુષ્યો ભિન્ન ભિન્ન
SR No.006185
Book TitleKarm Vichar
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherShrutratnakar
Publication Year2016
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy