SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯ (૧૧) સૂત્ર - ૧ ચાર અજીવકાય. ૪થું પુદ્ગલ દ્રવ્ય સ્વભાવ વ્યાપક માને છે. તત્ત્વાર્થ સૂત્રના આ જ ૫મા અધ્યાયના ૨૯માં સૂત્રમાં પણ આજ વાત જણાવી છે. ઉત્પાદ્રવ્યયધ્રૌવ્યયુત્તું સત્ । (૫-૯) અર્થ : ઉત્પતિ નાશ અને ધ્રુવપણા યુક્ત હોય તે સત્ છે. તાત્પર્ય એ છે કે દરેકવસ્તુમાં આ ત્રણ ગુણધર્મો છે. શ્રી તત્ત્વાર્થ રાજવાર્તિક (૫૨૯)માં આ વાત સમજાવતા જણાવ્યુ છે કે स्वजात्यपरित्यागेन भावान्तरावाप्तिरुत्पादः । = ઉત્પત્તિ તથા પૂર્વમાનિગમો વ્યયનં વ્યયઃ । = નાશ ધ્રુવે-થૈર્યનર્મળો ધ્રુવતીતિ ધ્રુવઃ = સ્થિતિ, સ્થિરતા અર્થ : ઉત્પાદ, તે વસ્તુનું પોતાનું સ્વરૂપ છોડ્યા વિના રૂપાંતર થવું તે છે. વ્યય તે, બાહ્ય રચના જે પૂર્વે હતી તેનું અદશ્ય થવું તે. અને ધ્રૌવ્ય તે, વિવિધ રૂપાંતરો મધ્યે, મૂળ, આંતરિક સ્વરૂપ સ્થાયી રહેવું તે. દ્રવ્યની વ્યાખ્યા પણ આને જ અનુસરે છે. पर्यायैः द्र्यन्ते द्रवन्ति वा तानीति द्रव्याणि (સવાર્થસિદ્ધિ તત્ત્વાર્થ સૂત્ર-૫-૨-૨૨) અર્થ : મૂળસ્વરૂપને કાયમ રાખીને પર્યાયો (અવસ્થાઓ) વડે રૂપાંતરને પામે તે દ્રવ્ય. રૂપાંતરોની મધ્યે મૂળ દ્રવ્યની સ્થાયિતા સમજવા માટે સોનાની લગડી લો. ધારો કે આપણે તેમાંથી આભૂષણ બનાવીએ છીએ. મૂળ સોનાનો પિંડ રૂપાંતરને પામે છે, એટલે તેની પિંડ અવસ્થા નાશ પામે છે અને આભૂષણસ્વરૂપ નવી અવસ્થા ઉત્પન્ન થાય છે, પરંતુ આ બંને પરિવર્તનો મધ્યે વસ્તુ (પિંડ કે આભૂષણ) સોના તરીકે તો કાયમી છે. પદાર્થ માત્ર વિશેનો આ દ્રષ્ટિકોણ છે. પદાર્થમાં અમુક અંશ કાયમી
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy