SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન ધર્મ અને અધર્મ દ્રવ્યઃ- તુલના (૧) ધર્મ અને અધર્મ અમૂર્ત (અરૂપી) છે એટલે કે, ઇન્દ્રિયથી જણાતા રૂપ, રસ, ગંધ, સ્પર્શ વિગેરે ગુણો તેમાં નથી. (૨) તેઓ અજીવ-જડ છે. (૩) તેમને અવકાશ સાથે સંબંધ છે. કારણ કે લોકાકાશના દરેક આકાશ પ્રદેશમાં ધર્મ અને અધર્મનો એક પ્રદેશ છે. (૪) તેમના વિના ગતિ સ્થિતિ શકય ન બને, પણ તેઓ સ્વયંનિષ્ક્રિય છે. (પ) તેઓ બહિરંગ હેતુ અથવા ઉદાસીન હેતુ છે. ગતિ-સ્થિતિના મુખ્ય હેતુ નહિ. (૬) તેઓ અભિન્ન – અખંડ છે. (૭) તે બેના કારણે જ લોકાકાશ (વિશ્વ) અને અલોકાકાશ બે વિભાગ છે. ધર્માસ્તિકાય” અને “અધર્માસ્તિકાય' બંને દ્રવ્યો વિશ્વ વ્યવસ્થામાં આવશ્યક છે - આ વિશ્વમાં આકાશ (અવકાશ), જીવો, અને ભૌતિક પદાર્થો આ ત્રણ જ હોય તે પુરતું નથી. આકાશમાં વસ્તુઓને ગતિ અને સ્થિતિ કરવા માટે સહાયક કોઈ દ્રવ્ય જરૂરી છે. એક જ દ્રવ્યથી બંને કાર્ય ન થાય. એકદ્રવ્ય ગતિસહાયક હોય, અને બીજું સ્થિતિસહાયક દ્રવ્ય ન હોય તો સઘળુ ગતિમાં જ રહે. તો વળી સ્થિતિ સહાયક એક જ દ્રવ્ય હોય તો, બધુ સ્થિર જ રહે ગતિ ન થાય. માટે બંને દ્રવ્યો જોઈએ. તે બંને હોવા છતાં મુશ્કેલી ઊભી જ રહેશે. કારણ કે ગતિ કરાવનાર ગતિ જ કરાવે, અને સ્થિતિ કરાવનાર સ્થિર જ રાખે, તો પણ વ્યવસ્થા ન સચવાય, માટે બંને દ્રવ્યો નિષ્ક્રિય રહેવા જોઈએ. પોતે તટસ્થ રહીને સહાય પૂરી પાડે. વસ્તુઓ ગતિ અને સ્થિતિ સ્વયં કરે અને તે બે દ્રવ્ય પોતે તટસ્થ અને નિષ્ક્રિય હેતુ બને, માત્ર આધાર આપે માધ્યમ બને. આ રીતે જ વિશ્વવ્યવસ્થા ગોઠવાઈ છે, જે જૈન તત્ત્વજ્ઞાનમાં બતાવી છે. ધર્મ અને અધર્મના વિષયમાં આધુનિક વિજ્ઞાન અંગેની વાતો લેખ- ૩૭ પૃ. -
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy